Get The App

રાસાયણિક ખાતરનો શોધક: જસ્ટસ વોન લીબિગ

વિશ્વના વિજ્ઞાનીઓ .

Updated: Nov 15th, 2019

GS TEAM


Google News
Google News
રાસાયણિક ખાતરનો શોધક: જસ્ટસ વોન લીબિગ 1 - image


પૃથ્વી પર વનસ્પતિ પાણીની  ઉપસ્થિતિમાં પોતાની મેળે ઊગે છે. માણસને  ઉપયોગી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો  તેમજ મરીમસાલા પણ આપમેળે જ ઊગી નીકળેલા. માનવ સંસ્કૃતિના વિકાસની  સાથે માણસ આ ઉપયોગી વનસ્પતિની ખેતી કરવા લાગ્યો. વનસ્પતિને જમીનમાંથી કુદરતી પૂરતું પોષણ મળી રહે છે પરંતુ વધુ પાક મેળવવા વધુ પાણી અને ખાતરની જરૂર પડે. વનસ્પતિનું મુખ્ય પોષણ નાઈટ્રોજનવાળા સેન્દ્રિય પદાર્થો છે. પ્રાણીઓના છાણ, મળમૂત્ર, મૃતદેહો અને નાશ પામેલી વનસ્પતિઓ કોહવાટ જમીનમાં ભળે અને સમય જતાં કુદરતી ખાતરમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં જમીનમાં રહેતા અળસિયાં અને અન્ય જંતુઓનો ફાળો પણ મહત્ત્વનો છે. 

વિજ્ઞાનીઓએ હજી વધુ  ઉપજ વધુ સારો પાક મેળવવા માટે કૃત્રિમ ખાતરની શોધ કરી છે. કૂદકે અને ભૂસકે વધી રહેલી વસતિને પૂરતું અનાજ મળી રહે તેવા હેતુથી થયેલી આ શોધ આશીર્વાદરૂપ છે. તેને કારણે આજે વિશ્વને પૂરતું અનાજ મળી રહે છે. રાસાયણિક ખાતરની  શોધમાં જર્મનીના વિજ્ઞાાની લીબિગનો ફાળો મહત્વનો છે. તે આ ક્ષેત્રનો પિતામહ કહેવાય છે.

જસ્ટસ લીબિગનો જન્મ ઈ.સ. ૧૮૦૩ના મે માસની  ૧૨ તારીખે જર્મનીના ડાર્મસ્ટાડ શહેરમાં થ યો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા લીબિગને બાળપણમાં જ કેમિસ્ટ્રીમાં રસ હતો. તેર વર્ષની નાની ઉંમરે તેણે જર્મનીના દુષ્કાળની  સ્થિતિ  જોયેલી. બોન યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તે પેરિસની જુદી જુદી લેબોરેટરીમાં  જોડાયેલો.

તેણે ગીઝેન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કારકિર્દી શર કરેલી. તે મહેનતુ અને નિષ્ઠાવાન હતો. વિજ્ઞાાનક્ષેત્રમાં પ્રસિદ્ધ થયો. લીબિગે પાંચ ગોળાવાળું એક સાધન બનાવેલું તેમાં ઓર્ગેનિક પદાર્થોનું પૃથ્થકરણ  થતું. તેણે નાઈટ્રોજનમાંથી રાસાયણિક ખાતર બનાવવાની ક્રાંતિકારી શોધ કરી. ઈ.સ. ૧૮૭૩માં એપ્રિલની ૧૮મી  તારીખે તેનું અવસાન થયેલું.

Tags :