અજમાવી જૂઓ .

મકાઇની ખીચડી બનાવતી વખતે મકાઇના દાણાને બાફી તેને વાટતી વખતે થોડું દૂધ ભેળવવાથી મકાઇ મુલાયમ થશે તેમજ મીઠો સ્વાદ આવશે.
રાત્રે ૧૦-૧૨ કાળી દ્રાક્ષ પલાળી સવારે નયણા કોઠે ખાવાથી કબજિયાત દૂર થાય છે.
- ગરમ પાણીમાં કોપરેલ નાખી કઠોળ બાફવાથી કઠોળ સારા તથા જલદી બફાય છે.
- દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો બે બટાકા નાખી દેવાથી દાળ સ્વાદિષ્ટ થશે.
- ગુલાબ જાંબુના માવામાં થોડુ ંપનીર ભેળવવાથી ગુલાબજાંબુ નરમ થાય છે.
- જામી ગયેલા ગુંદરમાં થોડો વિનેગર નાખી હલાવવાથી ગુંદર ઉપયોગમાં લઇ શકાય છે.
- ચોંટેલી ટપાલ ટિકીટને ફ્રિઝનાં બરફના ખાનામાં મૂકવાથી છૂટી થાય છે.
- અથાણામાં સરકો નાખવાથી અથાણાનો રંગ તેમજ સ્વાદ વરસના અંત સુધી જળવાઇ રહે છે.
- હુંફાળા પાણીમાં સહેજ મીઠું નાખી તેમાં સ્વચ્છ કપડું બોળી ફ્રીઝ લૂછવાથી ડાઘા દૂર થાય છે.
- કપૂરનું તેલ ફર્નિચરનાં ખૂણાઓ પર લગાડવાથી માંકડ કે વાંદા થતા નથી.
- પગ પર ગોટલા ચડી જાય તો કોપરેલ ગરમ કરી માલિસ કરવાથી રાહત થાય છે.
- મોચ આવવાથી સોજો ચડી જાય તો રાહત પામવા હળદર અને ખાવાનો ચૂનો વાટીને ગરમ લેપ કરવો.
- મીનાક્ષી તિવારી









