સોનેરી સુવાક્યો .

- ધર્મ જ્યાં સુધી જીવનમય ન બને ત્યાં સુધી જીવન ધર્મમય બની શકતું નથી.
- બેધ્યાન રહેવાતું હોય તો તેનું પણ ધ્યાન રાખો.
- મોત કદી પણ લાંચ સ્વીકારતું નથી.
- ઇશ્વરની નજીક જો રહેવું હોય તો માણસની નજીક રહેતાં શીખી જાવ.
- સમગ્ર જીવન હો સરસ, પ્રત્યેક દિવસ હો નવું વરસ.
- જો તમે બધું જ બનવા માગશો તો પછી કશું જ નહિ બની શકો.
- સ્વભાવ જ્યારે સ્થિર ના હોય ત્યારે જ અભાવનું સર્જન થાય છે.
- ધ્યાન એટલે એકલા રહેવાનો આનંદ અને પ્રેમ એટલે બેકલા રહેવાનો આનંદ.
- જીવતાં કદી મા-બાપને એકાદ કોલ્ડ્રિંક્સ ન પીવડાવ્યું હોય તો મૃત્યુ પછી ગંગાજળ શું કામનું ?
- જે કોઈની ચિંતા કરતો નથી તેની ચિંતા પણ પછી કોઈ જ કરતું નથી.
- પુસ્તકાલય અને દેવાલય વચ્ચે માત્ર એક સ્થળનો જ તફાવત છે.
- જે વસ્તુ માટે તમને ખુદ લાયક નથી તેની માગણી પ્રભુ પાસે કરતા નહિ.
- કોઈ પણ વસ્તુનો સુંદરમાં સુંદર ઉપયોગ કરવો તેનું નામ ચારિત્ર્ય
- જે જડ છે તે પલળે છે અને જે જીવંત છે તે ભીંજાય છે.
- એક ક્ષણનું મહત્વ કેટલું છે એટલું સમજતાં વર્ષો વીતી જાય છે.
- મારામાં આવડત નથી એ મને સમજાયું ત્યારે મારી આવડતની શરૂઆત થઈ.
- સગુણ ભક્તિ એ પ્રેમ છે તો નિર્ગુણ ભક્તિ એ જ્ઞાાન છે.
- માણસ સાધનના અભાવે નહિ પણ સાધનાના અભાવે નિષ્ફળ જાય છે.
- વૃદ્ધાવસ્થામાં જુવાન થજો પણ જુવાનીમાં વૃદ્ધ ના થઈ જતા.








