Magazines

સ્થિરબુદ્ધિના લક્ષણો .

By GS TEAM
11 Mar 20261 min read
સ્થિરબુદ્ધિના લક્ષણો                                    .

ભગવદ્ ગીતાનાં બીજા અધ્યાયમાં સ્થિરબુદ્ધિના લક્ષણોનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ંમુખેથી કર્યું છે, જુઓ,

दुःखेषु नु द्गिन मनाः ।

सुखेषु विगत स्पृहाः ।

वितरणः भय क्रोधः ?

स्थितहतिः मुनिःउव्यते ।। 56

દુ:ખોની પ્રાપ્તિ થતાં જેનાં મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખો મળતાં જે સંપૂર્ણપણે નિ:સ્પ્રહા હોય છે. જેનાં રોગ, ભય અને ક્રોધ નાશ પામ્યાં છે. એવા મુનિને સ્થિર બુધ્ધિવાળો કહે છે.

સંસારનાં પદાર્થો ઉપર જેને મનનો રંગ લાગી જાય તેને રાગ કહે છે. જ્યાં સુધી અંશિક રૂપથી, ઉદ્વેગ, સ્પૃહા, રાગ, અનુરાગ છે ત્યાં સુધી સાધક તેમાં આશક્ત થઈ રહે છે. તેમાંથી સર્વથા રહિત થવાથી તે વિતરાગી બની જઈ સિધ્ધ થાય છે. વાસના-કામના વગેરે સઘળા એક રાગનાં સ્વરૂપો છે. તેનું બીજુ નામ ''આસક્તિ'' છે.

-ડો.ઉમાકાંત જે. જોષી.