Magazines

એરાઉન્ડ ધ માર્કેટ .

By GS TEAM
30 Jun 20252 mins read
એરાઉન્ડ ધ માર્કેટ                                               .

બાઇક અને સ્કૂટર પર કોઈ ટોલ ચાર્જ વસૂલવામાં આવશે નહીં

સોશિયલ મીડિયા પરની અફવાઓને કારણે થયેલા હોબાળા વચ્ચે, સરકારે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટુ-વ્હીલર વાહનો પાસેથી ટોલ વસૂલવાનો કોઈ ઇરાદો નથી. આ સંદર્ભમાં, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ફેક્ટ-ચેક યુનિટ દ્વારા જારી કરાયેલા બે અલગ અલગ નિવેદનો કરોડો ભારતીયોને રાહત આપશે જેઓ મોટરસાઇકલ અને સ્કૂટર દ્વારા દરરોજ મુસાફરી કરે છે. નેશનલ હાઇવે ફી (રેટ ડિટરમિનેશન એન્ડ રિકવરી) રૂલ્સ, ૨૦૦૮ના નિયમ ૪(૪) હેઠળ, ટુ-વ્હીલર વાહનોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ચૂકવવાથી કાયદેસર રીતે મુક્તિ આપવામાં આવી છે. નિયમ મુજબ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર્સ અને પ્રાણીઓ દ્વારા ખેંચાતા વાહનો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કાયમી પુલ, બાયપાસ અથવા ટનલના ઉપયોગ પર કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં. જોકે ટુ-વ્હીલર વાહનોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલમાંથી મુક્તિ બાબતે કેટલાક અપવાદો છે.

VRRR હરાજીથી કોલ રેટમાં વધારો થયો

રિઝર્વ બેંક દ્વારા ગત શુક્રવારે હાથ ધરવામાં આવેલા સાત દિવસના ચલ રિવર્સ રેપો રેટ (VRRR) હરાજી પછી એક દિવસ (રાતોરાત) માટે મૂડી બજાર દરોમાં વધારો થયો હતો. ભારિત સરેરાશ કોલ રેટ (WACR) અથવા સરેરાશ વ્યાજ દર જેના પર બેંકો એક દિવસ માટે બજારમાં એકબીજાને ધિરાણ અને ઉધાર લે છે તે ૫.૫ ટકાના રેપો રેટની નજીક આવ્યો અને ૫.૩૮ ટકા પર બંધ થયો જે પાછલા દિવસે ૫.૨૭ ટકા હતો. ભારિત સરેરાશ રાતોરાત ટ્રેઝરી બિલ/રેપો રેટ (ટ્રેપ) ગુરુવારે ૫.૨૪ ટકા સામે ૫.૪૨ ટકા પર બંધ થયો હતો. દરમિયાન, રૂપિયાએ બે વર્ષથી વધુ સમયમાં એટલે કે ૧૩ જાન્યુઆરી, ૨૦૨૩ પછીનો સૌથી વધુ સાપ્તાહિક વધારો નોંધાવ્યો હતો. VRRR હરાજીનો હેતુ રાતોરાત દરોને રેપો રેટની નજીક લાવવાનો હતો. બેંકિંગ સિસ્ટમમાં નોંધપાત્ર સરપ્લસ રોકડને કારણે આ દરો પોલિસી રેપો રેટથી ઘણા નીચે ચાલી રહ્યા હતા.