ગુણકારી પેરૂ .
પેરૂમાં રહેલા વિટામિન અને ખનીજ શરીરને વિવિધ બીમારીઓથી બચાવા માટે મદદગાર બને છે. તે ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત કરે છે. પેરૂ ખાવાની સલાહ દાકતરો પણ આપતા હોય છે.
હાઇ એનર્જી ફ્રુટ: પેરૂમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે. આ તત્વો આપણા શરીર માટે મહત્વના છે. પેરૂને હાઇ એનર્જી ફ્રુટ તરીકે માનવામાં આવે છે.
હૃદયનો સાથી: તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદય અને માંસપેશિઓ માટે ગુણકારી હોવાથી તેવિવિધ બીમારીઓથી બચાવે છે.
મુખમાંના છાલા: પેરૂના સેવનની સાથેસાથે તેના પાનનું સેવન કરવાથી મુખમાંના છાલા પર રાહત થાય છે.
શરદી: સામાન્ય રીતે પેરૂ ખાવાથી શરદી થાય તેવી ભ્રમણા છે. પરંતુ તેના નિયમિત સેવનથી શરદી થવાની શક્યતા નહીંવત થઈ જાય છે.
ડીએનએને સુધારે: પેરૂમાં રહેલા વિટામીન બી-૯ શરીરની કોશિકાઓ અને ડીનએને સુધારવાનું કાર્ય કરે છે.
વિટામિન એ અને ઇ: તેમાં સમાયેલ વિટામિન એ અને ઇ આંખ, વાળ અને ત્વચાને પોષણ આપે છે.
ત્વચાની કાળજી: તેમાં બીટા કેરોટિન સમાયેલું છે જે શરીરને ત્વચા સંબંધી તકલીફોથી દૂર રાખે છે.
કબજિયાત: પેરૂના સેવનથી કબજિયાત દૂર થઇન ેપેટ સાફ થાય છે.
કોલેસ્ટ્રોલ: તે મેટાબોલિઝમનસ્વ્યવસ્થિત રાખે છે, જેથી શરીરમાંના કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહેછે.
વિટામિન સી: કાચા જમરૂખમાં પાકા પેરૂ કરતા વધુ વિટામિન સી હોય છે જેતી કાચુ પેરૂ ખાવું વધુ ફાયદાકારક છે.
ડાયાબિટિસ: પેરૂમાં ફાઇબરની માત્રા અધિક હોય છે, તેથી ડાયાબિટિસના દરદીઓ માટે ગુણકારી છે.
કેન્સરમાં ફાયદાકારક: પેરૂમાં સમાયેલ લાઇકોપીન નામનો ન્યૂટ્રિએન્ટસ શરીરને કેન્સર અને ટયૂમરના જોખમ નહીંવત રહે છે.
રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે: પેરૂનું ફાયરબર સેવન રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. સામાન્ય થાઇરોઈડમાં પણ ડૉકટર પેરૂ ખાવાની સલાહ આપે છે.