Magazines

100 મહાશિવરાત્રીનું પૂણ્ય આપતું આર્દ્રા નક્ષત્ર 6 ડિસેમ્બરે...

By GS TEAM
4 Dec 20251 min read
100 મહાશિવરાત્રીનું પૂણ્ય આપતું આર્દ્રા નક્ષત્ર 6 ડિસેમ્બરે...

૬ ડિસેમ્બર (માગસર વદ બીજ)ના રોજ આર્દ્રા નક્ષત્ર આવી રહ્યું છે. જેનું વિશેષ મહત્વ છે. તે ૧૦૦ મહાશિવરાત્રી જેટલું પુણ્ય આપે છે. મહાદેવના મંદિરમાં દર્શન કરીને ત્યાં દીવા પ્રગટાવવા. ઘરે પણ દીવા કરી શકાય. પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરી શકાય, મૌન રહી શકાય. મહાશિવરાત્રીએ કરાતા ઓમ નમ: શિવાયના જાપની જેમ ૬ ડિસેમ્બરે પણ કરવું જોઈએ. સ્થાનિક મંદિરમાં પૂજારીને બોલાવીને પણ પૂજા કરી શકાય. બિઝનેસ સાથે સંકળાયેલા અને સમૃદ્ધિ ઝંખતા લોકો માટે આર્દ્રા નક્ષત્રના દિવસે મહાદેવની પૂજા લાભદાયી બની શકે છે.

- કથાકાર ગીરીબાપુના પ્રવચનના આધારે