Magazines

અદા શર્મા : દર્શકો તમારી અદાકારીને ટ્રેક કરે છે, બોક્સ ઓફિસના કલેક્શનને નહીં!

By GS TEAM
28 May 20263 mins read
અદા શર્મા : દર્શકો તમારી અદાકારીને ટ્રેક કરે છે, બોક્સ ઓફિસના કલેક્શનને નહીં!

- 'હું નોટબુક લઈને બેસતી નથી અને વિચારતી નથી કે આ ભૂમિકા સમાજને બદલી નાખશે. આ ભૂમિકા પુરસ્કારો જીતશે.જે ક્ષણે તમે અસર કરવાની યોજના બનાવો છો તે નકલી લાગવા માંડે છે અને પ્રેક્ષકો તે સમજી શકે છે.

- અદા શર્માએ અદાકારીમાં સારીએવી મજલ કાપી છે અને અવનવી ભૂમિકા દ્વારા દર્શકોને પણ આકર્ષિત કર્યા છે. તેને દર્શકો સાથે અનેરો અને ગહન સંબંધ છે. અત્યારે સમય એવો છે કે બોક્સ ઓફિસના આંક જ ચર્ચામાં હોય છે, પણ અદા શર્મા શુક્રવારના આંકડા કરતાં તેના અભિનયના ભાવનાત્મક પાસાંને ખૂબ મહત્ત્વ આપે છે.

સફળતાનો તેનો વિચાર કેવી રીતે વિકસિત થયો છે તે અંગે વિચાર કરતાં અદા શર્મા કહે છે, 'લોકો તમારી પાસે આવીને બચાવતાં નથી. ઓહ, આ ફિલ્મે તો ૩૭૫ કરોડની કમાણી કરી, ખરેખર તો હું ભાવનાત્મક રીતે પ્રભાવિત છું.' આ સાથે જ અદા શર્મા ઉમેરે છે, 'જ્યારે તમે રડતા હતા ત્યારે હું તે દ્રશ્યમાં રડયો હતો, એમ દર્શકો કહે છે, અથવા મને તમારાથી ખૂબ ડર લાગતો હતો. મારા માટે તો આ સૌથી મોટી પ્રશંસા છે જ્યારે દર્શકો આટલી બધી જગ્યાઓ પર પાત્રોને યાદ કરે છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે તેઓ તમારા શુક્રવારના કલેક્શનને ટ્રેક નથી કરી રહ્યા. તેઓ તમારી સાથે તમારા પ્રદર્શનને પણ લઈ જઈ રહ્યા છે. બોક્સ ઓફિસ સમય, માર્કેટિંગ વલણો અને હવામાન જેવા માનવ પરિબળોથી પ્રભાવિત થાય છે. એક કલાકાર તરીકે તમે ફક્ત એક દ્રશ્યમાં કેટલા પ્રામાણિક છો તે નિયંત્રિત કરી શકો છો. તેમ છતાં ફિલ્મો જ્યારે વ્યાપારી રીતે સારું પ્રદર્શન કરે છે ત્યારે તે ખરેખર અદ્ભુત લાગે છે. તેનો અર્થ એ છે કે વધુ લોકો મેં જે બનાવ્યું છે તેનો અનુભવ કરી શકે છે.

વિવિધ શૈલીની પોતાની પસંદગીઓ વિશે વાત કરીએ તો અદા શર્માએ '૧૯૨૦', 'હસી તો ફસી', 'કમાન્ડો-૩' અને 'ધ કેરળ સ્ટોરી' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને આગામી સમયમાં તે મનોજ બાજપેયી સાથે મળીને 'ગવર્નર ઃ ધ સાઈલન્ટ સેવિયર' કરી રહી છે. અદા કહે છે, 'મેં ખૂબ જ અલગ અલગ જગ્યાઓ શોધી કાઢી છે. એક નિર્દોષ વિદ્યાર્થિનીથી માંડીને એક બોલ્ડ સ્ત્રી ઉપરાંત લગભગ બેકાર કહી શકાય એવી ખૂની મહિલાની ભૂમિકા ભજવી  છે. આ ઉપરાંત એવા પ્રોજેક્ટ્સ પણ છે જે સંપૂર્ણપણે કાલ્પનિક છે. જ્યાં તર્ક પાછળ રહી જાય છે અને કલ્પનાશિલતાનો કબજો હોય છે. જો કે જ્યારે હું અભિનય કરું છું ત્યારે તેમાંથી કંઈ પણ બનાવટી લાગતું નથી. હું માનું છું કે હું પાત્ર છું. પછી ભલે તે ખૂની હોય, પોલીસ હોય કે સૈનિક! કારણ કે તેમના માટે તે વાસ્તવિક છે. જો લાગણી જોડાયેલી હોય તો કલ્પના પણ કામ કરે છે.'

કોઈ ભૂમિકાની અસરને કેવી રીતે માપે છે? આ અંગે વાત કરતાં અદા કહે છે, 'હું નોટબુક લઈને બેસતી નથી અને વિચારતી નથી કે આ ભૂમિકા સમાજને બદલી નાખશે. આ ભૂમિકા પુરસ્કારો જીતશે. આ ભૂમિકા ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરશે. જે ક્ષણે તમે અસર કરવાની યોજના બનાવો છો તે નકલી લાગવા માંડે છે અને પ્રેક્ષકો તે સમજી શકે છે. 

મારા માટે તે ભૂમિકા મને થોડી પણ બદલી નાખે છે કે નહીં તેનાથી શરૂ થાય છે. જો કોઈ પાત્ર મને અસ્વસ્થ બનાવે છે. અથવા મને એવી જગ્યામાં ધકેલી દે છે. જે મેં પહેલા ક્યારેય શોધી નથી, તો તે પહેલાથી જ મને અસર કરે છે. હું તો દર્શકો માટે ખુલ્લું છોડી દઉં છું. હું તેમને કેવું લાગે છે તે નિયંત્રિત કરવા માગતી નથી. જ્યારે જુદા જુદા લોકો પોતાની રીતે જુદા જુદા દ્રશ્યો સાથે જોડાય છે ત્યારે તે રસપ્રદ બને છે,' એમ અદાએ જણાવ્યું હતું.