Magazines

અભિલાષ થાપલિયાલ : હું ક્યારેય અભિનેતા બનવા માગતો નહોતો

By GS TEAM
30 Apr 20263 mins read
અભિલાષ થાપલિયાલ : હું ક્યારેય અભિનેતા બનવા માગતો નહોતો

રેડિયો-જોકી જ્યારે અભિનેતા બને છે ત્યારે તેના જીવનમાં કેવા પ્રકારના ફેરફારો આવે છે, તેની કાર્યપધ્ધતિમાં કેવા પરિવર્તન આવે છે એ જાણવું ઘણું રસપ્રદ બની રહે છે. અભિલાષ થાપલિયાલે અભિનેતા તરીકેની તેની સફર અંગે અહીં ઘણી માહિતીપ્રદ જાણકારી પૂરી પાડી છે. આટલું જ નહીં, 'એસ્પિરન્ટ્સ' અને 'કેનેડી' જેવી ફિલ્મો અંગે વાતો કરી, જેમાં તેણે કામ કર્યું છે. આ ઉપરાંત અન્ય મુદ્દા અંગે પણ વાતો કરી જે અહીં પ્રસ્તુત છે...

આરજે બનવાથી માંડીને પૂર્ણ સમયનો અભિનેતા બનવા સુધીની સફર શું એ એક યોજનાનો હિસ્સો હતો કે પછી એવો કોઈ સમય આવ્યો જ્યારે તને ખ્યાલ આવ્યો કે તું અભિનય કરવા ઇચ્છે છે? આ પ્રશ્નના ઉત્તરમાં અભિલાષ થાપલિયાલે કહ્યું, સાચું કહું ને તો હું તો ક્યારેય અભિનય કરવા માગતો જ નહોતો. 

મુંબઈ આવવાનો મારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હું 'કપિલ શર્મા શો'નો હિસ્સો બનવા માગતો હતો. આ માટે જ હું મુંબઈ આવ્યો હતો, પણ થયું એવું કે હું 'કપિલ શર્મા શો'માં સફળ ન થયો. આને બદલે મેં 'કોમેડી સર્કસ' અને 'એન્ટરટેઈમેન્ટ કી રાત' ઘણા ટેલિવિઝન શોઝ શરૂ કર્યા અને આ પછી 'એસ્પિરન્ટ્સ' બન્યું ૨૦૨૧! અને એ સાથે મારી એક્ટિંગ કરવાની શરૂઆત થઈ!  જે થિયેટરમાં સારી ચાલી નહોતી. આ પછી હું સંપૂર્ણપણે ટેલિવિઝન અને નોન-ફિક્શન સ્પેસમાં દાખલ થયો.

જ્યારે તે પહેલીવાર આરજે તરીકેની નોકરી છોડવાનું નક્કી કર્યું ત્યારે તું શું ચિંતિત હતો? : આ પ્રશ્નના ઉત્તરમાં અભિલાષે જણાવ્યું, હું ખરેખર એક સ્થાપિત અભિનેતા બન્યો પછી નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો. મેં પહેલાથી જ 'એસ્પિરન્ટ્સ'ની બે સીઝન, 'એસ કે સર કી ક્લાસ' અને 'મૈંદાન' રિલિઝ થઈ હતી. મેં 'બ્લર'માં તાપસી પન્નુ સાથે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. અશ્વિની ઐયર તિવારી સાથે 'ફાડુ'માં કામ કર્યું હતું. નવદીપ સિંહ સાથે 'પાતાલલોક'માં કામ કર્યું હતું અને 'રક્ષાબંધન'માં આનંદ એલ. રાય સાથે કામ કર્યું હતું. આથી રેડિયો છોડવાનો નિર્ણય લેતા પહેલા મેં ઘણું બધુ બંધ કર્યું હતું. એવું નહોતું કે મેં અચાનક વિચાર્યું કે ઠીક છે, હવે હું અભિનય કરીશ તો મને રેડિયો છોડવા દો.

'કેનેડી'માં તારી ભૂમિકા પ્રત્યે તારો અભિગમ કેવો રહ્યો? : આ પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું, જ્યારે અનુરાગ કશ્યપની વાત આવે છે, પછી ભલે તે 'ગેંગ્સ ઓફ વસેપુર' હોય, 'અગ્લી' હોય, 'દેવ ડી' હોય કે 'કેનેડી' હોય કે 'બ્લેક ફ્રિડાવ' હોય. એ બધી ક્યારેય કોઈ અભિનેતાની ફિલ્મ નહોતી. એ બધી અનુરાગ કશ્યપની ફિલ્મ છે. 'કેનેડી' પણ તેનો અપવાદ નથી. જ્યારે મેં તેને પૂછ્યું કે તેણે મને ક્યાં પસંદ કર્યો ત્યારે તેણે કહ્યું કે તે લખતી વખતે બીજા કોઈના ધ્યાનમાં નહોતું આવ્યું. તે જ ખૂબ જ મોટી પ્રશંસા હતી મારા માટે! જેમ જેમ શુટિંગ નજીક આવ્યું. અમે પાત્રની વિગતવાર ચર્ચા કરી. મારું પાત્ર 'કેનેડી'માં આંતરિક અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. 

પરંતુ અનુરાગ સરે મને કહ્યું કે ફક્ત તારી જાત બન. રાહુલ ભટ્ટ જ્યારે એ પાત્રમાં હતો. ત્યારે તેણે મને ખૂબ જ ઠપકો પણ આપ્યો. મારો રોલ ભૂતનો છે, 'કેનેડી'ની લાગણીનો અરિસો! મેં હંમેશા તેમના નિર્દેશોનું પાલન કર્યું છે અને તે પણ સંપૂર્ણપણે! એમ અભિલાષે જણાવ્યું હતું.