એક મજાની વાર્તા: ફેંસલો
પ્રધાનવિલામાં સૂરજનું પ્રથમ કિરણ ડોકિયું કરીને સોનેરી રોશની ફેલાવતું ગયું. રોજની જેમ જ રસોડામાં ગંગારામ પ્રધાનસાહેબને ભાવતી આદુ-મસાલાવાળી ચા બનાવવામાં વ્યસ્ત હતો. જરા પણ મસાલાના કે ચા-ખાંડના માપમાં ફેર પડે તો સાહેબ કપ છુટ્ટો ફેંકી શકે એવી ખાતરી જ હતી એટલે એકદમ સતર્કતાપૂર્વક ગંગારામ સાહેબ માટે સવારની પહેલી ચા થી માંડીને રાતના હળદરવાળા દૂધ સુધી બધી જ સામગ્રી તૈયાર કરતો. બાકી ઘરમાં બધાને કોઈ ફરિયાદ ન હોય. બહેન હોય કે પ્રણયભાઈ હોય, ક્યારેય કોઈ વિશેષ માંગ જ ન હોય.
સાહેબ એટલે શહેરના નામાંકિત એડવોકેટ અનુરાગ પ્રધાન. અનુરાગને જિંદગીમાં હર એક વાતમાં પોતે જ પ્રથમ રહેવાની આદત અને જિદ. બહેન એટલે અનુરાગની સહચારિણી રેવતી.
રેવતી પોતે પણ કાયદાની ગ્રેજ્યુએટ પણ પોતાના કરતાં કદાચ વધુ મશહુર થઇ જાય એ બીકે અનુરાગે એને માત્ર હાઉસવાઇફ તરીકે જીવવાની પરમીશન આપી હતી . પરિવાર અને ઘરની સુખ-શાંતિ માટે રેવતીએ હસતાં-હસતાં એ સ્વીકારી લીધું. કોઈ પણ ફરિયાદ વગર મિસીસ પ્રધાનના ખિતાબ સાથે જીવતાં શિખી લીધું હતું.
પ્રણય એટલે અનુરાગ અને રેવતીના સહજીવનનું સુંદર ફળ.
પ્રધાન દંપતિને ત્યાં પ્રણયનો જન્મ અને રેવતી પોતાની બધી બેડીની વ્યથા ભુલી ગઇ. દિકરો સુખની સેજ પર ઉછરવા લાગ્યો અને જોતજોતામાં ડેડીની જેમ જ વકીલાત કરવા લાગ્યો. અનુરાગ પોતાની સફળતા પર મુસ્તાક તો હતો જ પણ હવે પ્રણય પણ કાબેલ વકીલ સાબિત થતો જતો હતો એટલે વધુ કડક ડોક રાખીને ચાલતો થઈ ગયો હતો.
ઘણી વાર રાત્રે ડ્રોઈંગરૂમમાં સાથે બેઠેલા પરિવારને અનુરાગ કહેતો,
'જોયું! મોરનાં ઈંડાં ચિતરવાં જ ન પડે. પ્રણય મારા પગલે ચાલીને મારા જેવું જ નામ અને પ્રતિષ્ઠા મેળવશે.'
વકીલ રેવતી મનોમન દલીલ કરી લેતી,
'એકલા મોરને જ જશ? ઈંડાં પર ઢેલનો પણ એટલો જ હક ન ગણાય? મા એના પાલવમાં પોતાની જાત કરતાંય વધુુ કાળજીથી સાચવેલ બાળકને બાપની આંગળી પકડી ચાલતાં શીખે એ પગથિયાં સુધી પહોંચાડે અને પછી બાપ બધી સફળતા પોતાના નામે કરી લે?'
પ્રણય મમ્મીની વ્યથાને આંખ દ્વારા આશ્વાસન આપતો રહેતો. એકાદ વાર પપ્પાને સમજાવવાનો નિરર્થક પ્રયાસ પણ કરી જોયો હતો પરંતુ નામાંકિત વકીલની સામે એની એક પણ દલીલ ઝાઝું ટકતી નહીં. અને રેવતી પ્રણયના માથે હાથ ફેરવીને કેસની હાર સ્વિકારાવી દેતી.
આમ ને આમ પ્રધાન વિલામાં કાયદાકીય રીતે અસમાનતાનો કાયદો લાગુ પડતો રહેતો.
એક દિવસ પ્રણયે બપોરે લંચમાં ઘેર આવ્યો ત્યારે રેવતીને કહ્યું,
'મમ્મી, પપ્પા મારા લગ્નનું વિચારે એ પહેલાં એક વાત કહેવી છે. મારી મિત્ર તાપસી છે. અમે કોલેજ માં હતાં ત્યારથી પરિચય છે. હવે એ પણ એડવોકેટ થઇ ગઇ તો તું ડેડીને અમારા લગ્ન માટે વાત કરી જોઈશ?
અમે સાથે જીવવા માંગીએ છીએ.'
અને..
રેવતી પર વીજળી પડવા જેવો આઘાત થયો. એ બહુ સારી રીતે અનુરાગને પામી ગઇ હતી. અનુરાગ ક્યારેય પોતાની વાત નહીં માને એનો એને અંધવિશ્વાસ હતો. છતાં ફફડતા હૃદયે એણે પ્રણય અને તાપસીના સબંધ વિશે વાત કરી.
પછીના દિવસે ઘરમાં અનુરાગના પ્રચંડ ગુસ્સારૂપી વાવાઝોડું આવ્યું. પ્રણયને કડકમાં કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી કે પ્રધાન ખાનદાનની આબરૂનો સવાલ છે એટલે કોઇ પણ પ્રકારની મનમાની ચલાવવામાં નહીં જ આવે.
રેવતીએ નારાજગી વહોરીને પણ અનુરાગને સમજાવવાના પ્રયાસ કરી જોયા કે,
'મેં તમારી બધી જ વાત માની અને જિંદગીભર તમારા અંગુઠા નીચે રહી પણ પ્રણયની જિંદગી વિશે એને નક્કી કરવા દેવું જોઇએે.'
પણ અહંકાર અને વ્યર્થ સામાજિક પ્રતિાના તક્ષકના ભરડામાં જીવતા એડવોકેટ અનુરાગ કોઇ વાત માન્યા નહીં .
પછીના અઠવાડિયે શહેરના બીજા મશહુર, માલેતુજાર વકીલની દિકરી સાથે પ્રણયનાં લગ્ન નક્કી થઈ ગયાં.
અનુરાગ પોતાના માભા અનુસાર એક માત્ર સુપુત્રનાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત રહેવા લાગ્યા.
રેવતી અને પ્રણયની ગૂંગળામણ અને અકળામણનો પાર નહોતો.
બંને મૌન વિરોધ કરતા રહેતાં.
એ દિવસે અનુરાગ કોઈ મહત્વના કામે બહારગામ જવા નિકળ્યા હતા. રેવતી અને પ્રણયને પોતાની ગેરહાજરીમાં કરવાનાં કામનું લિસ્ટ આપી ગયા હતા.
પ્રણય અને રેવતી બહાર જવા નિકળતાં જ હતાં ત્યારે પ્રણયે કહ્યું,
'મમ્મી થોડી વાર બેસ. વાત કરવી છે.'
રેવતી સહેજ ડરથી બેઠી.
પ્રણયે રેવતીની આંખમાં આંખ મિલાવીને પૂછયું,
'તું ખુશ છે? પપ્પા સાથે તારી જિંદગી આનંદમાં વિતે છે?'
રેવતી નીચું જોઈ ગઈ.
'મમ્મી તું જે જીવે છે, જે માનસિક પરિતાપ ભોગવે છે, તારાં દરેક સપનાં, દરેક ઈચ્છાઓનું ગળું દબાવીને રહે છે એ કેટલું યોગ્ય છે એ મને ખબર નથી. પણ એક સવાલનો જવાબ માત્ર એડવોકેટ રેવતી બનીને આપીશ?
તારે માત્ર તારી રેપ્લિકા બનીને આવે એવી વ્યક્તિ જોઈએ છે?'
રેવતીએ હવે નજર ઉંચી કરી.
પ્રણયે આગળ કહ્યું,
'મમ્મી, તું જીવી એ જ રીતે એડવોકેટ પ્રધાનની આ એક હથ્થુ સરમુખત્યાર સલ્તનતમાં હું પણ હોમાઈ જાઉં એ તને ગમશે? કે એકબીજાને સમજીને, અરસપરસ પ્રેમની આપ-લે કરતાં, મનને મારીને નહીં પણ મનને મન સાથે જોડીને જીવતાં તારાં સંતાન તને ગમશે!'
એ રાતે રેવતીના મનમાં મહાભારત ખેલાતું રહ્યું, અત્યાર સુધી અંધસલ્તનતમાં પોતે પણ અંધ બનીને જીવતી રહી પણ આજે એક કૃષ્ણએ અન્યાય સામે ગીતોપદેશ સંભળાવીને યુધ્ધનું એલાન કરવા પ્રેરણા આપી દીધી હતી.
બે દિવસ બાદ અનુરાગ ઘેર પરત આવ્યા. આવીને રેવતી સાથે દરેક વખતની જેમ કોઈ કર્મચારી પાસે કામનો હિસાબ લેતા હોય એમ વાત માંડી.
'પેલાં કામ સોંપી ગયો હતો એ ક્યાં પહોંચ્યાં? હું ન કહું તો થાય જ નહીં.'
રેવતીએ કોફીનો મગ અનુરાગના હાથમાં આપ્યો. અનુરાગની લગોલગ આવીને બેઠી.
અનુરાગને રેવતીના વર્તનમાં કોઈ રણશિંગું ફૂંકાયાનો આભાસ થયો.
'અનુરાગ, એક અગત્યની વાત કહેવી છે. બે રાત સતત મનોમંથન કર્યા બાદ મેં નિર્ણય લીધો છે.'
અને..
નિર્ણય શબ્દ સાંભળતાં જ અનુરાગના ચહેરા પર આતુરતામિશ્રીત કરડાકી છવાઈ.
'તેં.. નિર્ણય લીધોે?'
રેવતીએ વકીલના બે હાથ પકડીને કહ્યું,
'અનુરાગ પ્રણયને ગમતી જિંદગી જીવાડવો હોય તો એને મનગમતું પાત્ર હોવું બહુ મહત્વનું છે. આજના યુગમાં રેવતી ફરી અવતાર લે તો એ મારા શિક્ષણની અસફળતા ગણાશે.'
અનુરાગ રોષભેર કાંઈ બોલવા ગયા પણ રેવતીએ એમના હોઠ પર આંગળી મુકી દીધી.
'ના અનુ.. બસ હવે. ક્યારેક તો સરમુખત્યાર શાસનનો અંત લોકશાહી દ્વારા લાવવો જ રહ્યો. આજ સુધી તમારા દરેક ખરડા અમારી પસંદ-નાપસંદ જાણ્યા વગર અમારા જીવનમાં કાયદાસ્વરુપે તમે લાદતા આવ્યા છો પણ હવે મારી અને પ્રણયની બે મરજી એટલે બહુમતી સ્થાપિત થઈ રહી છે. મારે ઘરમાં બીજી રેવતી નહીં પ્રણયની સાથે હસતી-બોલતી-બગીચાને ઘરમાં લાવો
એબઝોર્બ કરે. હવે મોટી સાઈઝના કૂંડામાં સ્પેસ પ્રમાણે છેદ કરી લો અને છોડને લગાવો. જરૂરિયાત મુજબ ઉપરથી માટી નાખો. વેલવાળા છોડને કિનારે લગાવો અને સીધા ઊભા રહેતા છોડને કંડાની વચ્ચોવચ લગાવો.
છોડની કાળજી
હેંગિંગ ગાર્ડન માટે હંમેશાં નર્સરીથી સ્વસ્થ છોડની પસંદગી કરો. ગાર્ડનની આજુબાજુ ઘણીવાર કરોળિયાના જાળા બની જાય છે. તેને સમયાંતરે દૂર કરતા રહો. હેંગિંગ ગાર્ડનને ઓપન ગાર્ડનની સરખામણીમાં કેરની વધારે જરૂર હોય છે, કારણ કે તેમાં લાગેલા છોડ જલદી સુકાય છે.
જો બાસ્કેટ કે કૂંડાં ખૂબ ઉપર લટકાવેલા હોય તો વોટર સ્પેની મદદથી પાણીનો છંટકાવ કરો. છોડના શેપ અને સાઈઝને મેઈન્ટેન કરવા માટે થોડા થોડા દિવસે ટ્રિમિંગ પણ અચૂક કરતા રહો.
જો કૂંડામાં વધારે સંખ્યામાં છોડ થયા હોય તો તેને કાઢી દો, જેથી કૂંડાનું સમતોલન ન બગડે. છોડને કીડામંકોડાથી બચાવવા માટે લીમડાનું તેલ, હળદર અને લસણની પેસ્ટનો છંટકાવ સમયાંતરે કરતા રહો. જો તમારે અઠવાડિયું કે ૧૦ દિવસ માટે બહાર જવાનું હોય તો બાસ્કેટ કે કૂંડાને ઉતારીને છાયાવાળી જગ્યાએ મૂકી દો. સમયાંતરે કૂંડાં પણ અચૂક બદલતા રહો.