વડોદરા,તા.4.ફેબ્રુઆરી, મંગળવાર,2020
વડોદરા અને તામિલનાડુ વચ્ચેની રણજીટ્રોફી મેચનો આજથી શહેરના મોતીબાગ મેદાન ખાતે પ્રારંભ થયો હતો.જેમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી ચુકેલા વડોદરા ઓલરાઉન્ડર યુસુફ પઠાણે વડોદરા વતી વડોદરામાં જ ૧૦૦ મી મેચ રમવાની સિધ્ધિ મેળવી હતી.
આજે બરોડા ક્રિકેટ એસોસિએશન તેમજ અન્ય ક્રિકેટરોએ કેક કાપીને યુસુફની સિધ્ધિની ઉજવણી કરી હતી.યુસુફ પઠાણ ભારત વતી વન-ડે, ટી -૨૦ અને રણજી ટ્રોફી સહિતની ટુર્નામેન્ટોની ફર્સ્ટ ક્લાસ મેચો સહિત કુલ ૩૦૦ જેટલી મેચો રમી ચુક્યો છે.આઈપીએલમાં પણ યુસુફે કોલકાતા નાઈટ રાઈડર્સ વતી સંખ્યાબંધ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.


