અમદાવાદની બે ફ્લાઇટને 35 મિનિટ ચક્કર લગાવવા પડયા
- સાંજે પડેલા વરસાદથી વિઝિબિલિટી ઘટી
- એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ 35 મિનિટ ચક્કર લગાવ્યા બાદ લેન્ડિંગ કરી શકી
અમદાવાદ,શનિવાર
બપોર બાદ પડેલા
ભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટી જતાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે
અવર-જવર કરતી ૮ ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા હતા જ્યારે બે ફ્લાઇટને લેન્ડિંગ અગાઉ ૩૫ મિનિટ
સુધી હવામાં ચક્કર લગાવવા પડયા હતા.
આ અંગે પ્રાપ્ત
માહિતી અનુસાર ઇન્ડિગોની હૈદરાબાદ-અમદાવાદ ફ્લાઇટ સાંજે ૬ઃ૧૦ના આવી પહોંચી હતી. પરંતુ
એ સમયે ભારે વરસાદને પગલે વિઝિબિલિટિ ઓછી હોવાથી તેને લેન્ડિંગ માટે સમસ્યાનો સામનો
કરવો પડયો હતો. આ ફ્લાઇટ ૨૨ મિનિટ સુધી ચક્કર લગાવ્યા બાદ અમદાવાદ એરપોર્ટમાં લેન્ડ
થઇ શકી હતી. એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડયો
હતો. આ ફ્લાઇટ૬ઃ૧૦ના અમદાવાદ આવી પહોંચી હતી. પરંતુ તેને લેન્ડિંગ અગાઉ ૩૫ મિનિટ સુધી
ચક્કર લગાવવા પડયા હતા.
આ ઉપરાંત ભારે
વરસાદને લીધે અનેક ફ્લાઇટ સમયસર ટેક ઓફ્ પણ કરી શકી નહોતી. દરમિયાન ઓછા મુસાફરોને પગલે
અમદાવાદ અવર-જવર કરતી અનેક ફ્લાઇટ અચોક્કસ મુદ્દત માટે રદ કરવામાં આવી રહી છે.જેમાં
હવે અમદાવાદ-લખનૌની સાંજની ફ્લાઇટનો પણ સમાવેશ
થઇ ગયો છે. હાલની સ્થિતિ યથાવત્ રહે તો આગામી સમયમાં એરલાઇન્સ દ્વારા તેમના વધુ પણ
કેટલાક રૃટ હાલ પૂરતા બંધ કરવામાં આવી શકે છે.