Get The App

GST કૌભાંડમાં ઉત્કર્ષ ગૃપના માલિકની જામીન અરજી

૧૧ જગ્યાએ દરોડા પાડી કરચોરી પકડાઇ હતી

હાઇકોર્ટની સરકારને નોટિસ, વચગાળાના સમયમાં સારવાર કરાવવાની છૂટ અપાઇ

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News

અમદાવાદ, શુક્રવાર

ટી.એમ.ટી. બાર્સ અને સ્ટીલના ઉત્પાદનો બનાવતી કંપની ઉત્કર્ષ ગૃપના માલિક નીરજ જયદેવ આર્યએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી પાંચમી જાન્યુઆરીના રોજ નિયત કરી છે. ઉપરાંત આ સમયગાળામાં અરજદાર આરોપીને સારવાર કરાવવાની છૂટ અપાઇ છે.


 આ કેસની વિગત એવી છે કે આરોપી ઉદ્યોગપતિ સામે અન્ય લોકોની મદદથી બોગસ પેઢીઓ ઉભી કરવાનો આરોપ છે. આ પેઢીઓ મારફતે માલની રવાનગી વિના બિલો આપી ૩૧.૩ કરોડની કરચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જામીન અરજીના વિરોધમાં સરકારની રજૂઆત હતી કે બોગસ બિલિંદ દ્વારા કરવામાં આવેલી કરચોરીના નાણા આંગડિયા, આર.ટી.જી.એસ. અને હવાલા મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.