વડોદરા હાઇવે પર કપુરાઈ બ્રિજ નજીક તથા ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં બે ના મોત
વડોદરા,તા.20 ડિસેમ્બર 2022,મંગળવાર
તરસાલી વિશાલ નગરમાં રહેતા બાબરભાઈ વણકર હાઈવે કપુર પાસે આવેલ સન્ની પાજીદા ધાબા પર સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરે છે. તેમનો સમય સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો હોય છે આજે સવારે છ વાગે તેઓ નોકરી પૂરી કરીને રોડ ક્રોસ કરીને ચાલતા ચાલતા ઘરે આવતા હતા તે દરમિયાન તરફ જતા આવતા ડિવાઈડરના કટ પાસે અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા શરીરને ગંભીર ઈજા થઈ હતી. બાબરભાઈ વણકરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન સવારે 9:45 વાગે તેઓનું મોત થયું હતું જે અંગે તેમના પુત્ર સંજય વણકરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સંજય વણકર સયાજી હોસ્પિટલના મેડિકલ સ્ટોર વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે.
જ્યારે અન્ય એક બનાવમાં કલાલી સંતોષી ઉડાના મકાનમાં રહેતા સુમિત્રાબેન રમણભાઈ સોલંકી પુરી સાડા ત્રણ વાગે ખિસકોલી સર્કલ તરફથી ઘર તરફ આવતા હતા તે દરમિયાન એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ઢસડા હતા અને બે બંધ થઈ ગયા હતા સુમિત્રાબેનને માથામાં ગંભીયા થતા એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.