ગુજરાતમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના : કોને કેટલો લાભ અપાયો
ગાંધીનગર, તા. 25 જુલાઇ 2019, ગુરુવાર
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિક જીવિત હોય ત્યાં સુધી વિવિધ સહાય ચુકવવામાં આવે છે. તદુપરાંત મરણ બાદ પણ મરણોત્તર ક્રિયા માટે સત્યવાદી હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ સહાય ચુકવવામાં આવે છે.
વર્ષ 2018માં જામનગર જિલ્લામાં આ માટે 216 અરજીઓ આવી હતી. તેમાંથી 211 અરજીઓનો નિકાલ કરી રૂપિયા 10.55 લાખની મરણોત્તર સહાય ચૂકવવામાં આવી છે, તેમ ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત ઉત્તરમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું.
રાજ્યના નાગરિકને તેના જીવન દરમિયાન રોજગાર મેળવવા માટે માનવ ગરીમા યોજના દ્વારા વિવિધ સાધન સહાય, લગ્ન પ્રસંગે સહાય, આરોગ્યની સગવડ, પાણી-રોડ રસ્તાની સગવડ વગેરે જેવી અનેક સહાય અપાય છે.