Get The App

શહેરમાં રખડતાં શ્વાનમાં પારવો વાયરસના લક્ષણો જોવા મળ્યાં

Updated: Feb 4th, 2021

GS TEAM


Google News
Google News

શહેરમાં રખડતાં શ્વાનમાં પારવો વાયરસના લક્ષણો જોવા મળ્યાં 1 - image

- સરખો ખોરાક મળતો ન હોવાની સાથે સાથે દુર્બળ હોય તેવા કુતરાઓમાં આ વાયરસની અસર ઝડપથી ફેલાય છે : ધ ગોડ્સ ગીફ્ટ ફાઉન્ડેશન

ગાંધીનગર,તા.4 ગુરુવાર 2021

ગાંધીનગર શહેરમાં રખડતાં શ્વાનને યોગ્ય આહાર મળી શકે તેમજ બિમારીના સમયે સારવાર આપવાની કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ સંસ્થા રોજે રોજ બિમાર કુતરાઓની સારવાર કરી રહ્યું છે. તેમાં ઘણા શ્વાનમાં પારવો વાયરસના લક્ષણો જોવા મળ્યાં છે. જે શ્વાનને રસી મુકવામાં ન આવી હોય તેમજ સરખો ખોરાક મળતો ન હોય અને દુર્બળ તેમને ઝડપથી આ વાયરસનો ભોગ બનવું પડે છે. ઘણાં શ્વાનમાં આ રોગે ઘર કરી લીધું છે અને તેનો ભોગ પણ બન્યાં છે.

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતાં શ્વાન વસવાટ કરી રહ્યાં છે. અબોલ જીવોને સ્થાનિક રહિશો દ્વારા ખોરાક પાણી તો પુરા પાડવામાં આવી રહ્યાં છે પરંતુ બિમારીના સમયે જરૃરી સારવાર નહીં મળતાં જીવ પણ ગુમાવવો પડે છે. ત્યારે શહેરમાં ધ ગોડ્સ ગીફ્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી રોગથી પીડાતાં જાનવરોની સારવાર કરી રહ્યાં છે. તેમાં કેટલાંક જીવલેણ રોગથી પણ પિડાઇ રહ્યાં છે. રખડતાં શ્વાનમાં હાલ પારવો વાયરસના લક્ષણો જોવા મળી રહ્યાં છે. ઝડપથી ફેલાતો આ ગંભીર રોગથી ઘણા શ્વાન સારવાર અગાઉ જ મૃત્યુ પામે છે. વાયરસ સીધો શરીરના સેલ ઉપર અસર કરે છે અને પુરતાં પોષકતત્વો મળતાં અટકાવે છે જેના પગલે કુતરું નબળું પડે છે અને સુકાવા લાગે છે અને જીવ ગુમાવે છે. નાના કુતરાઓમાં રસી મુકવામાં ન આવી હોય અને સરખો ખોરાક મળતો ન હોય તેમજ દુર્બળ હોય તેવા શ્વાનને આ વાયરસની ઝડપથી અસર થાય છે. આ વાયરસ મનુષ્યમાં ફેલાતો નથી પરંતુ પહેરેલા કપડાં, ચંપલ કે બુટ ઉપર વાયરસના બેકટેરીયા હોય તો તેના થકી બીજા જાનવરમાં ફેલાય છે. ઘણા શ્વાનમાં રોગના લક્ષણ જણાતાં ૪૮ થી ૭૨ કલાક થાય છે. જો આવા લક્ષણ જોવા મળે તો એ કુતરાંને ટોળાથી અલગ રાખીને ડોક્ટરનો સંપર્ક કરી જરૃરી સાવચેતીના પગલાં લેવા જોઇએ. આમ શહેરમાં રખડતાં શ્વાનમાં આ વાયરસના લક્ષણો જોવા મળે તો ફાઉન્ડેશનના મોબાઇલ નં. ૯૦૧૬૯૪૫૧૮૬ તથા ૮૬૧૯૩૧૬૫૬૯ઉપર  સંપર્ક કરવાથી સંસ્થાના સભ્યો દ્વારા નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવશે. તો જે લોકો પાસે પાલતું કુતરું છે અને સ્વસ્થ છે તો રસી મુકાવવી જોઈએ જેથી વાયરસ સામે રક્ષણ પણ મળી શકે તેમ છે.

Tags :