Get The App

કોવિડ મૃત્યુ સહાયની વ્યવસ્થા શક્ય તેટલી સરળ બનાવો : સુપ્રીમ

Updated: Nov 29th, 2021

GS TEAM

Google News
Google News
કોવિડ મૃત્યુ સહાયની વ્યવસ્થા શક્ય તેટલી સરળ બનાવો : સુપ્રીમ 1 - image

રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટનું સૂચન

સરકારી ઓફિસોમાં અરજદારો જાય તો વચેટિયાઓ લાભ ન લઇ જાય તેની તકેદારી રાખવામાં આવે

અમદાવાદ : કોવિડ મૃત્યુસહાય અંગે ગુજરાત સરકારે લીધેલા નવાં પગલાંની માહિતી આજે સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. જેથી કોર્ટે સૂચન કર્યુ હતું કે કલેક્ટર કે મામલતદાર ઓફિસમાં અરજી કરવા જતાં સમયે વચેટિયાઓ લાભ ન લઇ જાય તેની તકેદારી રાખવામાં આવે.

રાજ્ય સરકારે જવાબમાં કહ્યું હતું કે થોડાં દિવસોમાં અરજી માટે ઓનલાઇન પોર્ટલ પણ કાર્યરત થઇ જશે અને આ જ હેતુસર પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આજે જવાબ આપ્યો હતો કે અરજદારોએ કલેક્ટર કે મામલતદાર ઓફિસમાં સહાય માટે અરજી કરવાની રહેશે અને જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાભાર્થીને સીધી ચૂકવણી કરવામાં આવશે.

જેથી જસ્ટિસ એ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની ખંડપીઠે સરકારને સૂચન કર્યુ હતું કે અંતરિયાળ ગામડાંમાં રહેતી કોઇ વ્યક્તિ માટે કલેક્ટર કે મામલતદાર ઓફિસે પહોંચી આવી રીતે અરજી કરવી મુશ્કેલ છે. આ ઓફિસોમાં વચેટિયાઓ પણ હોય છે અન તેઓ લાભ લઇ લે તેવી શક્યતા છે. જેથી રાજ્ય સરકારે કહ્યું હતું કે આ જ હેતુસર અરજી માટે પોર્ટલ પણ ડેવલપ કરાઇ રહ્યું છે અને 15 દિવસમાં તે કાર્યરત થઇ જશે.