Get The App

વડોદરા: શહીદ દિન નિમિત્તે ભાજપ દ્વારા મૌન રેલી અને ભગતસિંહને પુષ્પાંજલિ

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: શહીદ દિન નિમિત્તે ભાજપ દ્વારા મૌન રેલી અને ભગતસિંહને પુષ્પાંજલિ 1 - image

વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર

શહિદ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર દ્વારા આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહિદ ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીના લટકાવી દીધા હતા. માત્ર ચોવીસ વર્ષની ભર યુવાન વયે પોતાની યુવાનીને દેશની આઝાદી માટે ખપાવી દેનારા એ વિર સપુતોએ ઇતિહાસના પાને પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે ત્યારે આજે શહિદ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર દ્વારા શહેર ભાજપ પ્રમુખ, પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં વહેલી સવારે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મૌન રેલીની શરૂઆત પદ્હ્માવતી શોપિંગ સેન્ટર થી ન્યાયમંદિર ખતેથી શહિદ ભગતસિંહ ચોક ખાતે પહોંચી હતી જ્યાં શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.