Get The App

રેલવે ટ્રેક આસપાસના ઝૂંપડાં માટે કોઇ પોલિસી છે ?: સુપ્રીમ

કેન્દ્ર સરકારને જવાબ આપવા નિર્દેશ

સુરતમાં હજારો ઝૂંપડપટ્ટીઓના ડિમોલિશન કેસમાં કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો

Updated: Dec 2nd, 2021

GS TEAM

Google News
Google News

અમદાવાદ, મંગળવાર

ગુજરાતમાં રેલવે ટ્રેક આસપાસની ઝૂંપડપટ્ટીના પુનર્સન માટે સરકાર પાસે કોઇ પોલિસી છે કે નહીં તે મુદ્દે જવાબ આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયને આદેશ કર્યો છે. સુરતમાં રેલવે ટ્રેક આસપાસની હજારો ઝૂંપડપટ્ટીઓના ડિમોલિશન માટે હાઇકોર્ટે આપેલા આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલમાં આ નિર્દેશ અપાયો છે.


જસ્ટિસ એ.એમ. ખનવિલકર અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં આદેશ આપ્યો છે કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરીને નોટિસ પાઠવવામાં આવે અને રેક્રડ પર માહિતી મૂકવામાં આવે કે આ કેસ સંબંધિત રેલવે મિલકત આસપાસની ઝૂંપડપટ્ટીઓ માટે તેમની પાસે કોઇ પુનર્વસન પોલિસી છે કે નહીં. કેસની વધુ સુનાવણી ત્રીજી ડિસેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.