એરપોર્ટમાંથી એશિયાટિક સિંહ સહિત અન્ય પ્રાણીઓની પ્રતિકૃતિ હટાવાઇ
-ટર્મિનલમાં ૧૧ હજાર ચો. ફૂટમાં પ્રાકૃતિક જંગલ બનાવાયું હતું
-ટર્મિનલમાં બનાવાયેલા પ્રાકૃતિક જંગલને બહાર ખસેડી આ જગ્યા ઉપયોગ હવે મુસાફરોની સુવિધા માટે કરાશે
અમદાવાદ, ગુરુવાર
અમદાવાદમાં ઉતરનારા
ફ્લાયર્સનું ડોમેસ્ટિક ટમનલ પર ગુજરાતના ગૌરવની શાહી ગર્જના દ્વારા સ્વાગત કરવામાં
આવતું હતું. ટમનલ પર આવનાર પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ સાસણ ગીરના એશિયાટિક
સિંહોની ઝલક આપતી પ્રતિકૃત્તિઓ આખરે હટાવવામાં આવી છે. આમ વિવાદના સંકેતો મળતા આ જુદાજુદા
પ્રાણીઓની પ્રતિકૃત્તિઓને ટમનલની બહાર અન્યત્ર જગ્યાએ ખસેડવાની કામગીરી હાથધરવામાં
આવી છે.
એરપોર્ટ ઓથોરિટી
ઓફ ઈન્ડિયાએ એરાઈવલ અને ડિપાર્ચર ટમનલ વચ્ચે ૧૧,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તાર ફાળવી આખુ પ્રાકૃતિક
જંગલનું ઉદ્ધઘાટન ગત ૨૬ જૂન ૨૦૧૮માં એક જાણીતી ખાનગી કંપની દ્વારા કરાયું હતું. આ ફોરેસ્ટ
ઝોનમાં ગીરમાં જોવા મળતા સિંહ, કાળા હરણ, ગરુડ, ચિત્તા અને અન્ય કેટલાક પ્રાણીઓની આજીવન
પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી હતી. હવે અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી હસ્તક થાય બાદ
ટમનલમાં ફેરાફારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે
પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી આ તમામ પ્રતિકૃત્તિઓ ટમનલમાંથી હટાવી જગ્યા ખાલી
કરવામાં આવી રહી છે.
વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યુ કે, 'વિશ્વના જાણીતા એશિયાટીક
સિંહોને ટમનલમાંથી હટાવવા મુદે વિવાદ થાય તેમ હતો પરંતુ તાત્કાલિક ટમનલ ૪ની બહાર પાકગ
એરિયા બાજુ આવેલ ગાર્ડનની ખુલ્લી જગ્યામાં તમામ પ્રાણીઓની રેપ્લિકા ગોઠવવામાં આવી છે.
એરપોર્ટનું મેનેજેન્ટ કરતી કંપનીએ જણાવ્યુ કે ' ડિપાર્ચર-એરાઇવલની તમામ જગ્યાનો ઉપયોગ
મુસાફરો માટે ખાસ કરીને ડિપાર્ચરમાં ચેકઇન એરિયામાં વધારે સુવિધા આપવા માટે કરાશે.
ગીરના સિંહ સહિત અન્ય પ્રાણીઓની રેપ્લિકા ટમનલની બહાર ખેસડવાથી મોટી સંખ્યામાં મુસાફરો
તેને જોઇ શકશે અને તેના ફોટા પણ પાડી શકશે.'
નોંધનીય છે કે આ રેપ્લિકા જે જગ્યા પર ગોઠવાઇ છે
તેનો આનંદ માણવો તમામ મુસાફરો માટે અઘરો છે. બીજીતરફ પ્રાણી પ્રેમી નિષ્ણાતોના મતે
'સાસણના સિંહની પ્રતિકૃત્તિને ટમનલની બહાર ખુલ્લી જગ્યામાં મુકાતા એક પ્રકારનું અપમાન
છે. ટમનલની બહારની બાજુએ તેની દેખરેખ રાખનાર કોઇ હોતુ નથી. રાજ્યના કોઇપણ ખુણેથી અમદાવાદ
આવનાર પ્રવાસીઓને ટમનલમાંથી એશિયાટીક લાયનની વૈશ્વિક ઓળખ હટાવી દેવાઇ છે.'