ગુજરાતમાં 10 રૂટો પરથી ખાનગી ટ્રેન દોડાવવામાં આવશે
- 10 થી વધુ ખાનગી પાર્ટીઓએ ટ્રેનો દોડાવવામાં રસ દાખવ્યો
- અમદાવાદ-મુંબઇ, સુરત-મુંબઇ, સાબરમતી-દિલ્હી વચ્ચે દૈનિક ધોરણે ખાનગી ટ્રેન દોડાવવાનું આયોજન
અમદાવાદ, તા.29 જુલાઇ 2020, બુધવાર
રેલવે વિભાગ દ્વારા દેશમાં વર્ષ ૨૦૨૩ સુધીમાં ૧૦૯ રૂટો પર ખાનગી ટ્રેનો દોડાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં ગુજરાતમાંથી ૧૦ રૂટો પરથી ખાનગી ટ્રેનો દોડશે. અમદાવાદથી મુંબઇ અને પ્રયાગરાજ માટે, સાબરમતીથી જોધપુર અને દિલ્હી માટે, સુરતથી મુંબઇ, વારાસણી, આસનસોલ અને પટના માટેની ખાનગી ટ્રેનો દોડાવાનું આયોજન છે. ઉપરાંત વડોદરા-મુંબઇ, રાજકોટ-ભોપાલ રૂટ પરથી પણ ખાનગી ટ્રેન દોડાવવામાં આવનાર છે.
ભારત સરકારના રેલવે મંત્રાલય,રેલવે બોર્ડ દ્વારા તા.૨૭ જુલાઇએ દેશના તમામ ઝોનલ અધિકારીઓને સંબોધીને લખાયેલા પરિપત્રમાં ટ્રેનના રૂટ, ટ્રેન ઉપાડવાનો સમય, ટ્રેન પહોંચવાનો સમય, કિ.મી. અને ટ્રેન દૈનિક છેકે વિકલી તે તમામ વિગતવાર સાથે પત્ર પાઠવીને મેન્ટેનન્સ ડેપો, વોશિંગ સહિતની સુવિધાઓની ઉપલબ્ધતા અને તેના આયોજન માટે પગલા લેવાની સુચના અપાઇ હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાંથી ઉપડનારી ખાનગી ટ્રેનમાં સૌથી લાંબા અંતરની ખાનગી ટ્રેન સુરત-આસનસોલ હશે. જે ૧,૮૪૫ કિ.મી.ની મુસાફરી કરશે. આ ટ્રેન વિકલી રહેશે. સૌથી નાના અંતરની ટ્રેન સુરત-મુંબઇ હશે આ ટ્રેન ૨૬૩ કિ.મી.નું અંતર કાપશે આ ટ્રેનને દૈનિક ધોરણે દોડાવાશે.
અમદાવાદ-મુંબઇ, સાબરમતી-દિલ્હી, સુરત-મુંબઇ અને વડોદરા-મુંબઇ ટ્રેનને દૈનિક ધોરણે દોડાવાશે. રેલવેના અધિકારીઓ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ૧૦થી વધારે ખાનગી પાર્ટીઓએ ખાનગી ટ્રેનો દોડાવવામાં રસ દાખવ્યો છે. અત્યારે આ દિશામાં પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. વર્ષ ૨૦૨૩ સુધીમાં દેશના ૧૦૯ રૂટો પર ખાનગી ટ્રેનો દોડતી કરી દેવાશે.
મુસાફરોને વર્લ્ડક્લાસ સુવિધા આપવા, ટ્રેનો મોડી પડે તો મુસાફરોને ભાડાની રકમમાંથી કેટલાક પૈસા પાછા આપવા, ટ્રેનો નિયમિત ધોરણે અને સમયસર દોડાવવા સહિતની સુવિઘાઓ મુસાફરોને મળી રહેશે.
ગુજરાતમાંથી કયા રૂટ પર ખાનગી ટ્રેનો દોડાવાશે ?
સ્ટેશન(ઉપડશે)-સ્ટેશન(પહોંચશે) |
કિ.મી. |
સંચાલન |
મુંબઇ(૨૩ઃ૪૫)-અમદાવાદ(૬ઃ૦૦) |
૪૮૩ |
ડેઇલી |
અમદાવાદ(૦૭ઃ૪૦)-મુંબઇ(૧૩ઃ૫૫) |
૪૮૩ |
ડેઇલી |
સુરત(૭ઃ૦૦)-મુંબઇ(૧૦ઃ૦૦) |
૨૬૩ |
ડેઇલી |
મુંબઇ(૧૫ઃ૩૦)-સુરત(૧૮ઃ૩૦) |
૨૬૩ |
ડેઇલી |
મુંબઇ(૧૧ઃ૫૦)-વડોદરા(૧૬ઃ૦૫) |
૩૮૬ |
ડેઇલી |
વડોદરા(૧૮ઃ૦૫)-મુંબઇ(૨૩ઃ૦૦) |
૩૮૬ |
ડેઇલી |
સુરત(૦૮ઃ૨૦)-વારાણસી(૦૭ઃ૨૦) |
૧,૩૭૦ |
વિકલી(સોમવાર) |
વારાસણી(૦૯ઃ૦૦)-સુરત(૦૮ઃ૪૫) |
૧,૩૭૦ |
વિકલી(મંગળવાર) |
પટના(૧૪ઃ૪૫)-સુરત(૧૭ઃ૫૫) |
૧,૬૭૯ |
વિકલી(શનિવાર) |
સુરત(૦૮ઃ૧૦)-પટના(૧૩ઃ૦૦) |
૧,૬૭૯ |
વિકલી(શુક્રવાર) |
દિલ્હી(૧૬ઃ૧૫)-સાબરમતી(૦૫ઃ૩૦) |
૯૧૩ |
ડેઇલી |
સાબરમતી(૧૬ઃ૨૦)-દિલ્હી(૦૫ઃ૨૦) |
૯૧૩ |
ડેઇલી |
આસનસોલ(૧૯ઃ૪૫)-સુરત(૦૯ઃ૦૦) |
૧,૮૪૫ |
વિકલી(શુક્રવાર) |
સુરત(૨૩ઃ૫૦)-આસનસોલ(૦૯ઃ૦૦) |
૧,૮૪૫ |
વિકલી(રવિવાર) |
પ્રયાગરાજ(૦૭ઃ૦૦)-અમદાવાદ(૦૪ઃ૨૦) |
૧,૩૭૭ |
બાયવિકલી(સોમ,બુધ) |
અમદાવાદ(૦૬ઃ૫૦)-પ્રયાગરોજ(૦૬ઃ૦૦) |
૧,૩૭૭ |
બાયવિકલી(મંગળ, ગુરૂ) |
રાજકોટ(૧૬ઃ૦૦)-ભોપાલ(૦૮ઃ૪૫) |
૯૪૦ |
વિકલી(મંગળ) |
ભોપાલ(૨૦ઃ૦૦)-રાજકોટ(૧૪ઃ૦૦) |
૯૪૦ |
વિકલી(સોમવાર) |
જોધપુર(૧૪ઃ૦૦)-સાબરમતી(૨૨ઃ૪૦) |
૪૫૩ |
૬ દિવસ |
સાબરમતી(૨૩ઃ૩૦)-જોધપુર(૦૮ઃ૩૦) |
૪૫૩ |
૬ દિવસ |