વચગાળાના જામીન પર છુટીને કેદી ભાગી ગયો
છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના કેસમાં ત્રણ વર્ષની સજા થઇ હતી
વડોદરા,તા, 17,જાન્યુઆરી,2021,રવિવાર
બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુનામાં સજા ભોગવતો કેદી કોવિડ-૧૯ અંતર્ગત વચગાળાના જામીન પર છુટયા પછી ફરાર થઇ ગયો છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલા ગામે રહેતા હિંમત દીતાભાઇ ભાભોરને છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવાના કેસમાં સંજેલી કોર્ટે તા.૩૧-૧-૨૦૨૦ના રોજ ત્રણ વર્ષની સાદી કેદની સજા કરી હતી. જે સજા વડોદરા જેલમાં ભોગવતો હતો.
કોવિડ-૧૯ અંતર્ગત કેદી હિંમત ભાભોરને તા.૩૧-૩-૨૦૨૦ના રોજ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેદીના વચગાળા જામીનની મુદતનો વધારો થયો હતો અને તા.૩૧-૧૨-૨૦૨૦ના રોજ કેદીને જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ જેલમાં પરત હાજર થવાના બદલે તે ફરાર થઇ જતા જેલર દ્વારા કેદી વિરૃધ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.