મંજુસર જીઆઇડીસીમાં પૂર અને વરસાદના પાણી ફરી વળ્યા
ઉદ્યોગપતિઓ અને કામદારોને બહાર કાઢવા ટ્રેક્ટરની મદદ લેવાઇ ઃ કંપનીઓમાં પાણી ભરાતા મોટું નુકસાન
સાવલી ,તા.૩૧ ઓગસ્ટ, સોમવાર
સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં પાણી ભરાઇ જતાં ૨૦૦થી વધુ ફેક્ટરીઓ આજે બંધ રહી હતી. ૪૫૦ જેટલી ફેક્ટરીઓ ધરાવતી આ જીઆઇડીસીમાં પાણી ફરી વળતા આશરે ૫૦ કરોડથી વધુનું નુકસાન જીઆઇડીસીના ઉદ્યોગોને થયું હોવાનું જાણવા મળ્યું છે.
સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલી જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ ે પડતો હતો, તે ઉપરાંત ે વિશ્વામિત્રી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે પાણી છોડાતા પાણી ભરાઈ જવા પામ્યા હતા.
જીઆઇડીસીનો મોટાભાગનો વિસ્તાર કેડ સમા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. હજારો નોકરીયાતો આજે નોકરી પર ં જઈ શક્યા ન હતા. જ્યારે નાઈટ શિફ્ટમાં કામ કરતા કામદારા ેજીઆઇડીસીમાં જ અટવાઈ પડયા હતા. ફેક્ટરીઓએ ે કાંસ પૂરી દીધા હોવાથી પાણીનો નિકાલ અટકી ગયો હતો.
જીઆઇડીસી પરિસરમાં નાળા, કેનાલોમાં પાણીના નિકાલ માટે જગ્યા ન રહેતાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા. મોટાભાગની કંપનીઓમાં વીજળી પણ ડૂલ થઈ ગઇ હતી, જો કે વીજ પુરવઠો અગમતીને કારણે બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ે જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારોને ટ્રેક્ટર મારફતે બહાર કઢાયા હતા.
મંજુસર જીઆઇડીસીમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે અને ઉપરવાસમાં છોડાયેલા પાણીને પગલે મંજુસર જીઆઇડીસીની હાલત બદતર થઇ ગઇ હતી. આસોજ પાસની ે જીએસપીએલમાંથી પાણીનો નિકાલ થતો નથી પરિણામે આ પાણી પણ જીઆઇડીસીમાં ભરાય છે. ે શનિ રવિના કારણે ઘણી ફેક્ટરીઓનો માલ ફ્લોર પર જ પડેલો હતો અને પાણી ભરાઈ જવાને કારણે ભારે આથક નુકસાન થવા પામ્યું છે.