Get The App

કલોલના અલુવા ગામ પાસે કારને આંતરીને વેપારીને માર મારવાનો‌ મામલો

આરોપીઓના પાસપોર્ટને જપ્ત નહીં કરી કલોલ તાલુકા પોલીસે કામગીરીમાં ઘોર બેદરકારી દાખવતા કોર્ટ તપાસ કરવા હુકમ કર્યો

આરોપી ગુનો બન્યા બાદ આગોતરા જામીન લઇ પાસપોર્ટ જમા કરાવ્યા વિના કેનેડા પહોંચી ગયો: આરોપીના પરત આવ્યા બાદ પણ જામીન અરજી રદ કરવા માટે પોલીસે અરજી ન કરી

Updated: May 4th, 2024

GS TEAM

Google News
Google News
કલોલના અલુવા ગામ પાસે કારને આંતરીને વેપારીને માર મારવાનો‌ મામલો 1 - image

ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને તપાસ બે મહિનામાં પુરી કરવા કલોલ કોર્ટનો હુકમ

 ગાંધીનગર, શનિવાર


ગાંધીનગરના સણગાસણમાં રહેતા ફેક્ટરી ના માલિક પર આશરે સવા વર્ષ પહેલા આઠ માથાભારે લોકોએ   હુમલો કર્યો હતો. જે સંદર્ભમાં હુમલાની સોપારી આપનાર મનસુખભાઈ બરાડ  અને પ્રવીણભાઈ પટેલ વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પરંતુ  કલોલ તાલુકા પોલીસે જરૂરી તપાસમાં ઢીલ રાખી‌ હતી. જેથી મનસુખભાઈ નામના આરોપી આગોતરા જમીન મેળવી કોર્ટની શરતોનો ભંગ કરીને કેનેડા જતા રહ્યા હતા. આમ કલોલ તાલુકા પોલીસે બેદરકારી દાખવીને નબળી તપાસ કરી હતી હતી.  બીજી તરફ આરોપી મનસુખભાઈ ભારત પરત ફર્યા બાદ પણ પોલીસે તેમના પાસપોર્ટ જમા કરવાની કાર્યવાહી ન કરતા આ અંગે તેમજ શંકાસ્પદ પોલીસ તપાસ અને લઈને  જિલ્લા પોલીસવડા તેમજ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ  કોર્ટે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા ગાંધીનગર જિલ્લા પોલીસવડાને હુકમ કર્યો છે.

ગાંધીનગરના સરગાસણમાં આવેલા મારુતિ અમૃતકુંજ ફ્લેટમાં રહેતા સંજયભાઈ સંઘાણી અલુવા ગામની સીમમાં વરુણ કેપેસીટર નામની ફેક્ટરી ચલાવે છે. ગત 19 મી જાન્યુઆરી 2023 ના રોજ સંજયભાઈ ફેક્ટરીથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અલુવા ગામથી મુબારકપુર હાઈવે પર જતા હતા ત્યારે 4 બાઈક પર આવેલા 8 લોકોએ તેમના પર જીવલેણ હુમલો કરીને રૂપિયા 70,000ની રોકડની લૂંટ પણ કરી હતી. આ હુમલો ધંધાકીય અદાલતના કારણે  તેમના જુના ભાગીદાર મનસુખભાઈ વલ્લભભાઇ  પટેલ  (બોરાડ) (રહે. અનુરાગ ફ્લેટ, નવરંગપુરા) અને પ્રવીણભાઈ પટેલ (રહે. કર્મયોગી પાર્ક, વસ્ત્રાલ) દ્વારા કરાવ્યો હોવાનું હુમલા કરો એ કહ્યું હતું અને ફેક્ટરી બંધ કરીને જતા રહેવાની ધમકી આપી હતી. આ મામલે આરોપી મનસુખ ભાઈ પટેલે આગોતરા જામીન મેળવ્યા હતા અને તે ગણતરીના દિવસોમાં જ કેનેડા જતા રહ્યા હતા. જે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની બેદરકારીના કારણે ગયા હતા કારણ કે પોલીસે તેમનો પાસપોર્ટ જમા કર્યો નહોતો. અને aam જામીનની શરતોનો  પણ ભંગ કર્યો હતો. ત્યારબાદ એક વર્ષ પછી આરોપી મનસુખ પટેલ પરત આવ્યા તે બાદ પણ કલોલ તાલુકા પોલીસે પાસપોર્ટ જમા કરવાની કાર્યવાહી ન કરી અને જામીન રદ કરવાની પ્રક્રિયા ન કરી બેદરકારી દાખવ્યાનો કલોલ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર પર આક્ષેપ કરતી ફરિયાદ ગાંધીનગર જિલ્લા પોલીસવડા તેમજ kકલોલની  કોર્ટમાં કરવામાં આવી છે. સાથે સાથે આક્ષેપ કરાયો છે કે પોલીસે ફરિયાદીએ રજૂ કરેલી વિગતો ફરિયાદમાં નોંધી નહોતી અને ગંભીર ગુનાની 307ની કલમના બદલે હળવી કલમો દાખલ કરી હતી.  સૌથી નવાઈની વાત એ હતી કે પોલીસ આજ સુધી પકડી શકતી નથી. જેથી કરી દ્વારા એડવોકેટ હસમુખ શાહે કોર્ટમાં રજૂઆત કરી છે. તેની વધુ સુનવણી આગામી દિવસોમાં શરૂ થશે. જેમાં કલોલ તાલુકા પોલીસ પર લગાવેલા આક્ષેપને લઈને હાલ  ચર્ચા જોવા મળી રહી છે.

Tags :