અમદાવાદના કુખ્યાત બિલ્ડર ભાવેશ અમીન સામેની સમાની કરોડોના જમીન કૌભાંડની તપાસ અભરાઇએ ચઢાવી દેવાઇ
વડોદરા,તા.22 ફેબ્રુઆરી,2019,સોમવાર
વડોદરામાં જમીનો વિવાદોમાં બહુચર્ચિત બનેલા અમદાવાદના કુખ્યાત બિલ્ડર ભાવેશ અમિીને સમાની અંદાજે રૃા.૬૦ ક રોડની જમીન પચાવી પાડવા માટે ડખા ઉભા કરાવ્યા હોવાની ખેડૂત પરિવારે કરેલી ફરિયાદ પોલીસે અભરાઇએ ચઢાવી દીધી છે.
કારેલીબાગ વિસ્તારની ગુરૃકૃપા સોસાયટીમાં રહેતા અને હરણી રોડ પર હાર્ડવેરની દુકાન ધરાવતા કિરીટભાઇ પટેલે તેમના મૈયત થયેલા પિતાએ વર્ષ ૧૯૯૪ થી ૧૯૯૭ દરમિયાન કુલ પાંચ દસ્તાવેજ કરી જુદા જુદા સર્વેની કુલ ૨.૭૭ લાખ ફુટ જમીન ખરીદ કરી હતી.
ખેડૂતે પોલીસ કમિશનરને કરેલી અરજીમાં કહ્યું હતું કે,અમે ખરીદ કરેલી જમીન ૧૯૮૨માં મુંબઇના જૂહૂ તારા રોડના કિંગ્સ એપાર્ટમેન્ટમાં રહેતા સૂરજ પ્રકાશ ભગતે ખરીદ કરી હતી.પરંતુ તેઓ ખેડૂત પુરવાર નહીં થતાં તેમના નામની કમી કરવામાં આવી હતી.સૂરજ ભગતે વડોદરાના રેસકોર્સ ખાતે રહેતા કિરીટ રસીકલાલ અમીનને કુલ મુખત્યાર તરીકે નિમ્યા હતા.
આ જમીન પડાવી લેવા માટે મુંબઇના સૂરજ ભગત અને અમદાવાદના કુખ્યાત બિલ્ડર ભાવેશ નવિનચંદ્ર અમીને(રહે.શ્રીમ હાઉસ,યોગી કોમ્પ્લેક્સ પાસે, ડ્રાઇવ ઇન સિનેમા સામે, થલતેજ, બોડક દેવ,અમદાવાદ) સાથે મળીને કારસો રચ્યો હતો.સૂરજના કુલમુખત્યાર કિરીટ અમીન હોવા છતાં ભાવેશ અમીનના નામનો પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવ્યો હતો.જેમાં સૂરજ ભગતની સહી પણ દેખાતી નથી.
ભાવેશ અમીને નવા હક્કો ઉભા કરવા માટે જુદા જુદા વિભાગોમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હતા અને ડખા ઉભા કર્યો હતા.આ જમીન ભાવેશ અમીને મનોજ વિનોદચંદ્ર શાહ (રહે.અશ્વમેઘ ટાવર, સયાજી વિહાર ક્લબની સામે અને યુએસના સિટિઝન હર્ષદ અરવિંદ બ્રહ્મભટ્ટ રહે.લક્ષ્મીકુંજ સોસાયટી, સમારોડ સાથે વેચાણ દસ્તાવેજ કરી તેમના નામે માલિકી હક્કો ઉભા કરવાનો કારસો રચવામાં આયો છે.ઉપરોક્ત વિવાદો અંગે કોર્ટમાં કેસો પણ ચાલી રહ્યા છે.જ્યારે,સામાપક્ષ દ્વારા હાઇકોર્ટમાંથી લેવાયેલો સ્ટે પણ અમારા પક્ષની દલીલો બાદ ઉઠાવી લેવાયો છે.
ખેડૂતે પોલીસ કમિશનરને આપેલી ઉપરોક્ત ફરિયાદ અંગે એક મહિનાથી વધુ સમય થયો હોવા છતાં પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નથી.