Get The App

ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં ૨૮ સપ્ટેમ્બરથી નવુ શિક્ષણ સત્ર

JEEના વિદ્યાર્થીઓને ૬ઠ્ઠીએ પ્રવેશ મળશે અને નવુ સત્ર ૨૮મી શરૃ થતા નુકશાન

જીટીયુ દ્વારા ૨૦૨૧-૨૨નું એકેડમિ કેલેન્ડર જાહેર

Updated: Sep 19th, 2021

GS TEAM


Google News
Google News
ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં ૨૮  સપ્ટેમ્બરથી નવુ શિક્ષણ સત્ર 1 - image

અમદાવાદ,

જીટીયુ દ્વારા ડિગ્રી-ડિપ્લોમા અને પીજી કોર્સની ટેકનિકલ કોલેજો માટે ૨૦૨૧-૨૨નું એકેડમિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે.જે મુજબ ડિગ્રી ઈજનેરી,ડિપ્લોમા ઈજનેરી,ફાર્મસી અને એમબીએ-એમસીએ કોલેજોમાં ૨૮મી સપ્ટેમ્બરથી નવુ શૈક્ષણિક સત્ર શરૃ થશે.

કોરોનાને લીધે આ વર્ષે ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ માટે  ખૂબ વિલંબ થયો છે.જેઈઈ મેઈનની પરીક્ષાનું પરિણામ પણ તાજેતરમાં જ જાહેર થયુ છે ત્યારે જેઈઈના આધારે જે યુનિ.ઓ-કોલેજોમાં જે બેઠકોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળનાર છે તેમાં વિદ્યાર્થીઓને નુકશાન થાય તેમ છે. ઘણી પ્રાઈવેટ યુનિ.ઓ-કોલેજોએ પોતાની રીતે આપીને વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૃ કરી દીધુ છે. ગુજકેટના આધારે જે કોલેજો-યુનિ.ઓમાં પ્રવેશ થયા છે તેમાં નવુ સત્ર શરૃ થઈ ગયુ છે અને ભણાવનું શરૃ થઈ ગયુ છે.હવે માત્ર જેઈઈ મેઈનના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ઈન્ડકશન પીરિયડના દિવસો જ મળે તેમ નથી ઉપરાંત ભણવાનું પણ થોડું  બગડે તેવી સ્થિતિ છે.એસીપીસી દ્વારા હજુ સુધી પ્રથમ રાઉન્ડનું પણ એલોટમેન્ટ થયુ નથી.

ઉપરાંત જેઈઈના આધારે બનનાર મેરિટ પણ હજુ ૩૦ સપ્ટેમ્બર જાહેર થનાર છે.જેઈઈ પરિણામના આધારે ૧૦મી ઓક્ટોબરે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળનાર છે. જીટીયુ દ્વારા જાહેર કરાયેલા નવા એકેડમિક કેલેન્ડર મુજબ ડિગ્રી ઈજનેરીની કોલેજોમાં ૨૮મી સપ્ટેમ્બરથી નવુ શૈક્ષણિક સત્ર શરૃ થનાર છે.ડિપ્લોમા ઈજનેરી,બી.ફાર્મ, ડી-ફાર્મ, એમબીએ,એમસીએ અને હોટલ મેનેજમેન્ટની કોલેજોમાં પણ ૨૮મી સપ્ટેમ્બરથી નવુ સત્ર શરૃ થશે.જ્યારે બી.આર્કિટેકચર, બી.વોક ,ડી.વોક અને એમબીએ-એમસીએ ઈન્ટિગ્રેટેડ કોર્સીસની કોલેજોમાં ૧૮મી ઓક્ટોબરથી નવુ સત્ર શરૃ થશે.

Tags :