Get The App

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે અવસાન, આજે અંતિમવિધિ

- ગુજરાતમાં એક દિવસીય શોક જાહેર કરાયો

- પુત્ર ભરતસિંહ સોલંકી આજે બપોરે અમેરિકાથી પરત ફરશે GPCC ખાતે પાર્થિવદેહને અંતિમદર્શન માટે મૂકાશે

Updated: Jan 10th, 2021

GS TEAM


Google News
Google News
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે અવસાન, આજે અંતિમવિધિ 1 - image


વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, રૂપાણી સહિતના નેતાઓએ શ્રધ્ધાજંલિ પાઠવી : કેબિનેટમાં શોક ઠરાવ પસાર કરાયો

અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે વહેલી સવારે નિધન થયુ હતુ . માધવસિહ સોલંકીના નિધનને પગલે ગુજરાતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, તમામ સરકારી કાર્યક્રમો સુધૃધાં રદ કરી દેવાયાં હતાં. જોકે, ભરતસિંહ સોલંકી હાલ અમેરિકાના પ્રવાસે છે. રવિવારે બપોર સુધીમાં તેઓ ગાંધીનગર પરત ફરશે જેના કારણે આજે અંતિમ સંસ્કાર કરાયા ન હતાં. આવતીકાલે અંતિમ વિિધમાં રાહુલ ગાંધી આવે તેવી શક્યતા છે. 

30 જુલાઇ,1927ના રોજ જન્મેલા માધવસિંહ સોલંકી ખામ િથયરીના પ્રણેતા રહ્યા હતાં.  આ ઉપરાંત તેઓ ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતાં.  આ ઉપરાંત ગુજરાતમાં 149 બેઠકો જીતવાનો રેકર્ડ માધવસિંહ સોલંકીના નામે કંડરાયેલો છે.

આજ દીન સુધી આ રેકર્ડ તૂટયો નથી. સાથે સાથે સામાજીક અને આિર્થક રીતે અનામત અને મધ્યાહન ભોજન યોજના તેમનો વિચાર હતો.આજે વહેલી સવારે માધવસિંહ સોલંકીનુ નિધેન થયુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરી શોકાજંલિ પાઠવી હતી કે, માધવસિંહ સોલંકી વાંચનના શોખિન હતાં. હું જયારે તેમને મળતો ત્યારે તો માત્ર વાંચન-સાહિત્ય વિશે  વાત કરતા હતાં.

રાહુલ ગાંધીએ પણ શ્રધૃધાજંલિ પાઠવતાં જણાવ્યું કે, કોંગ્રેસની વિચારધારાને આગળ ધપાવવામાં માધવસિંહ સોલંકીએ આપેલાં યોગદાનને હંમેશા યાદ રખાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના નિવાસસૃથાને પહોંચીને શ્રધૃધાજંલિ અર્પી હતી. રાજ્યપાલ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ માધવસિંહ સોલંકીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

બપોરે 12 વાગે કેબિનેટની બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રધૃધાજંલિ અર્પી શોક ઠરાવ પસાર કરાયો હતો. એટલું જ નહીં, એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ કાર્યક્રમો પણ રદ કરી દેવાયા હતાં. 

માધવસિંહ સોલંકીનુ વહેલી સવારે અવસાન થતાં વિદેશ પ્રવાસે ગયેલાં ભરતસિંહ સોલંકીને તુરત જ જાણ કરાઇ હતી. ભરતસિહ સોલંકી રવિવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ આવી પહોચશે. પુત્ર ભરતસિંહ સોલંકીની ગેરહાજરી હોઇ આજે અતિમ વિિધ યોજાઇ શકી ન હતી. રવિવારે માધવસિંહ સોલંકીની અંતિમવિધી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરાશે. 

રવિવારે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી માધવસિંહ સોલંકીના પાિર્થવ દેહને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ અંતિમ દર્શાનાર્થે મૂકવામાં આવશે. સાંજે પાચ વાગે વીએસ હોસ્પિટલની પાછળ આવેલાં સ્મથાનગૃહમાં અંતિમક્રિયા કરાશે. અંતિમ વિિધમાં રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવે તેવી શકયતા છે.

માધવસિંહ સોલંકીની રાજકીય સફર

અમદાવાદ,રવિવાર

વર્ષ 1957થી માધવસિંહ સોલંકીની રાજકીય સફરની શરૂઆત થઇ હતી. તેઓ વર્ષ 1957થી 1960 સુધી મુંબઇ વિધાનસભાના સભ્ય રહ્યા હતાં. આ ઉપરાંત તેઓ વર્ષ 19060થી 1968 સુધી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યપદે રહ્યા હતાં. માધવસિંહ સોલંકીએ પહેલીવાર 24 ડિસેમ્બર,1976ના રોજ મુખ્યમંત્રી બન્યા હતાં. બીજી વાર તેઓએ વર્ષ 7મી જૂન,1980એ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. તેઓ કુલ ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં. 

 વર્ષ 1988માં તેઓ રાજયસભાના સભ્ય બન્યા હતાં. 24મી એપ્રિલ,1994માં માધવસિંહ સોલંકી ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતીના અધ્યક્ષપદે નિમાયા હતાં. વર્ષ 1988થી વર્ષ 1989 સુધી તેઓએ આયોજન પંચના ઉપાધ્યક્ષ પદે સેવાઓ આપી હતી.  વર્ષ 1991થી વર્ષ 1992 સુધી માધવસિંહ સોલંકી વિદેશપ્રધાન રહ્યા હતાં. 

માધવસિહ સોલંકીએ બે ટર્મ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા હતાં. આઉપરાંત તેઓએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતીના મહામંત્રી તરીકે પણ કામગીરી અદા કરી હતી. મધ્યાહન ભોજન યોજના પણ ગુજરાતમાં માધવસિંહ સોલંકીએ જ શરૂ કરી હતી. આ જ પ્રમાણે, પછાત વર્ગ માટે અનામત પણ તેમનો જ વિચાર રહ્યો હતો. માધવસિંહ સોલંકી ખામ થિયરીના પ્રણેતા રહ્યા હતાં. વિધાનસભામાં સૌથી વધુ 149 બેઠકો જીતવાનો રેકર્ડ પણ આજદીન સુધી માધવસિંહ સોલંકીના નામે લખાયેલો છે જે આજદીન સુધી તૂટી શક્યો નથી.

Tags :