Get The App

નાંદોદ તાલુકાના માંડણ ગામની નદીમાં એક જ પરિવારના ૫ાંચ ડૂબ્યા

એક મહિલાનો મૃતદેહ મળ્યો,અન્યની શોધખોળ અંધારાના કારણે થઇ શકી નહી

Updated: May 29th, 2022

GS TEAM


Google News
Google News
નાંદોદ તાલુકાના માંડણ ગામની નદીમાં એક જ  પરિવારના ૫ાંચ  ડૂબ્યા 1 - image

 રાજપીપલા,રવિવારે  મોડી સાંજે  નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં ન્હાવા માટે ભરૃચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના ૫ાંચ સભ્યો આવ્યા હતા. તેઓ નદીમાં ન્હાવા પડતાં તમામ સભ્યો ડૂબી ગયા હતા. રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે એક મહિલાનો મૃતદેહ શોધી કાઢયો હતો જ્યારે અન્ય ૪ વ્યક્તિઓને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે.  સાંજ પડતા જ લાઈટ ના અભાવ હોવાથી અન્ય ૪ લોકો ની શોધ ખોળ વહેલી સવાર થી શરૃ કરવમાં આવનાર છે .

મળતી માહિતી મુજબ,ભરૃચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ ૩૫), જીગનીશાબેન જનકસિહ પરમાર(ઉ.વ ૩૨), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ ૮), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ ૨૭) તથા ખુશીબેન ચૌહાણ(ઉ.વ ૨૪) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવ્યા હતા, તેઓ ત્યાં નદીમાં ન્હાવા પડયા હતા, પાણીની ઊંડાઈથી અજાણ તેઓ આગળ જતાં એક પછી એક ડૂબવા માંડયા હતા.એમની આસપાસ પણ કોઈ નહતું .એટલે એમને બચાવવા પણ કોઈ આવી શક્યું નહોતું.જો કે નજીકમાં જ એમની બે બાઈક અને ચપ્પલ પડેલા જોઈ અમુક લોકો ડૂબી ગયા હોવાનો ગ્રામજનોને લાગ્યું હતું, એમાંથી કોઈકે રાજપીપળા પોલીસ મથકમાં ફોન કરતા રાજપીપલા પોલીસ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સાથે સાથે રાજપીપલા નગરપાલીકાની ફાયર ફાઈટરની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.ફાયર ફાઈટરની ટીમેને મહામુસીબતે જીગનીશાબેન જનકસિહ પરમારનો મૃતદેહ હાથે લાગ્યો હતો.અંધારું થઈ જતાં એમણે પણ શોધખોળ બંધ કરી દીધી હતી.

જો કે આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ રાજપીપલા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા, ડૂબી ગયેલા પરિવારના સભ્યો ક્યારે ત્યાં આવ્યા, કેવી રીતે ડૂબ્યા, એ ડૂબ્યા ત્યારે ત્યાં કોઈ હાજર હતું કે કેમ એ તમામ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે.મળતી માહિતી મુજબ એન.ડી.આર.એફની ટીમ દ્વારા નદીમાં ગુમ થયેલા પરિવારજનોના સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવશે.હાલ તો રાજપીપલા પોલીસે મૃતક પરિવારજનોની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.


૬ વાગ્યા નો બનાવ પણ તંત્ર માં જિલ્લા કલેકટર કે આર ડી સી  એ મીડિયા ના ફોન ના ઉપડયા !

રાજપીપલા ,નર્મદા જીલો એ પ્રવાસન નું હબ બન્યો છે ત્યારે જિલ્લા માં આજે પણ અનેક ગામો મોબાઈલ નેટ્વર્ક વિહોણા છે ત્યારે આજે ભરૃચ જિલ્લા માંથી નર્મદા જિલ્લા ના માંડન ગામે સાંજે ૬ વાગ્યા ૫ જેટલા એક પરિવાર ના સદસ્યો ડૂબી ગયા હતા આ  આ મામલે નર્મદા જિલ્લા કલેક્ટર ને નાયબ નિવાસી કલેક્ટર મીડિયા ના ફોન ના ઉપડયા  ! એક બાજુ આવતી કાલે નર્મદા જિલ્લા માં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જય શંકર આવનાર હોય તો તંત્ર ત્યાં  વ્યસ્ત છે ? જે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે

Tags :