શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લાના શિક્ષકો માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ
ગાંધીનગર, તા. 17 ઓકટોબર, 2020, શનિવાર
જુલાઇ-૨૦૨૦માં જાહેર થયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦થી જિલ્લાના શિક્ષકો તેમજ અધ્યાપકો પરિચિત થાય તે માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર દ્વારા નવતર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના શિક્ષકો માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર શિક્ષક સજ્જતા, શિક્ષણમાં સમાવેશન, શિક્ષક - પ્રશિક્ષણ, શાળાકીય પરિવર્તનો, હકારાત્મક બાબતો ૨૧મી સદીમાં નીતિની યથાર્થતા જેવા ૬ વિભાગો પર નિબંધ લેખન કરી તાલીમ ભવનના બ્લોગ પર ઓનલાઇન મોકલ્યા હતા. શિક્ષકો માટેની નિબંધ લેખન સ્પર્ધામાં જિલ્લામાંથી ૧૦૭ એન્ટ્રી મળી હતી. આવેલા નિબંધોમાંથી દરેક વિભાગમાંથી પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. પ્રથમ ક્રમે ગૌરવ જોષી, ઇલાક્ષીબેન પટેલ (કસ્તુરબા સ્ત્રી અધ્યાપન મંદિર), તેજલબેન વ્યાસ, નિલેશકુમાર પ્રજાપતિ, હસમુખભાઇ પટેલ તેમજ નિતીનકુમાર ચૌધરીને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પુસ્તિકા આપવામાં આવી હતી.