Get The App

વડોદરા: વૃદ્ધ માતાની વ્યથા "મારો પુત્ર કેનાલમાં ડૂબી ગયો છે, શોધી આપવા અપીલ"

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: વૃદ્ધ માતાની વ્યથા "મારો પુત્ર કેનાલમાં ડૂબી ગયો છે, શોધી આપવા અપીલ" 1 - image

વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર

ધૂળેટીના દિવસે સાંજે મોરલીપુરા કેનાલમાં પગ લપસી જતાં તણાઇ ગયેલ બ્રાહ્મણ વિધવા માતાના એકના એક પુત્રની શોધખોળ માટે પરિજનો તથા ગુમ યુવકના મિત્રો દ્વારા કલેક્ટરની કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

તા. 18-03-22 ને ધૂળેટીની સાંજે એક બ્રાહ્મણ પરિવારનો એક નો એક દિકરો નામે જીત પ્રદિપકુમાર જોશી કે જે શેર બજારની ઓફિસમાં નોકરી કરી પોતાની માતા અને પોતાનું ગુજરાન કરતો હતો તેને ધૂળેટીના સાંજે તેનો મિત્ર યશરાજ તેની એક્ટિવા પર બેસાડી નિમેટા તરફ જવાના રોડે આવેલ મોરલીપુરા કેનાલ ખાતે લઇ ગયેલ જ્યાં યશરાજના જણાવ્યા અનુસાર જીતનો પગ લપસી પડતાં તે અંદાજે 5:30 કલાકે કેનાલના પાણીમાં તણાઇ ગયો હતો આ અંગેની જાણ પરિવાર મિત્રોને થતાં તેમણે ફાયરબ્રિગેડ તથા જરોદ પોલીસને જાણ કરી હતી તેને લ ઇને ફાયરબ્રિગેડની ટીમે બનાવસ્થળે શોધખોળ આદરી હતી પરંતુ પાણીના પ્રવાહ વધુ હોવાથી અને અંધારું હોઇ જીત મળ્યો ન હતો ત્યારે આજે પાંચ દિવસ વિત્યા છતાં જીતનો પતો ન મળતા જીતનો વિધવા માતા ઉષાબેન પ્રદિપકુમાર જોશી ઉ.વ.72 (રહે.નવજીવન સોસાયટી, આજવારોડ) તથા જીતના મિત્રોએ વડોદરા કલેક્ટરની કચેરી ખાતે પહોંચી જીતની શોધખોળ કરવા રજૂઆત કરવામાં આવી હતી.