Get The App

DPSના પૂજા મંજુલા શ્રોફ ટોચના રાજકારણીઓ સાથે ફોટા પડાવી સરકારી બાબુઓ પર ધોંસ જમાવે છે

- કથિત આશ્રમ ખોલાવી નિત્યાનંદનો અમદાવાદમાં પગપેસારો કરાવનારાં

- ગુજરાત ગેસમાં 'ડિરેક્ટર'નો પણ હોદ્દો ધરાવતા મંજુલા પૂજા શ્રોફે નિત્યાનંદને માત્ર રૂ. ૧ના ટોકન પેટે જમીન ભેટમાં આપી

Updated: Nov 23rd, 2019

GS TEAM


Google News
Google News
DPSના પૂજા મંજુલા શ્રોફ ટોચના રાજકારણીઓ સાથે ફોટા પડાવી સરકારી બાબુઓ પર ધોંસ જમાવે છે 1 - image


અમદાવાદ, તા. 22 નવેમ્બર, 2019, શુક્રવાર

આપણા શાસ્ત્રોમાં શિક્ષણ આપવાની કામગીરીને પવિત્ર ગણવામાં આવે  છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો એવા છે જેમણે શિક્ષણને કાળા ધંધાનો કારોબર બનાવવા ઉપરાંત અને પોતાની મહત્ત્વકાંક્ષા પુરવાર કરવા માટેની સીડી સમાન બનાવી દીધું છે.

બેંગાલુરૂ આશ્રમના સેક્સ સીડી કાંડ બાદ હવે હાથીજણ આશ્રમના વિવાદથી ખરડાયેલા નિત્યાનંદના કરતૂતો જેમ બહાર આવી રહ્યા છે તેમ તેમને અમદાવાદમાં આશ્રમ ખોલી આપી તેના પગપેસારાનો માર્ગ મોકળો કરી આપનારા કેલોરેક્સ ફાઉન્ડેશનનાં સીઇઓ-ડીપીએસ સ્કૂલના કર્તાહર્તા પૂજા મંજુલા શ્રોફની ભૂમિકા 'વિવાદની આ આગ'માં 'ઘી રેડવા' સમાન રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

મંજુલા પૂજા શ્રોફ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકારની 'ગૂડ બૂક'માં સૃથાન ધરાવે છે. આ જ કારણ છે કે ગુજરાત સરકારની માલિકીની ગુજરાત ગેસ કંપનીમાં મંજુલા શ્રોફને ડિરેક્ટરનું પદ આપવામાં આવ્યું છે.

ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી ડીપીએસનું નામ મોટું હોવાથી ગુજરાતના અનેક નેતાઓ અને સનદી અિધકારીઓના સંતાનો આ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાને કારણે મંજુલા શ્રોફનો ઘરોબો નેતાઓ-અિધકારીઓ સાથે છે. આ ઉપરાંત મંજુલા શ્રોફ ટોચના રાજકારણીઓ સાથે ફોટા પડાવી સરકારી બાબુઓ પર ધાર્યું કામ કરાવી શકવાનું પ્રભુત્વ પણ ધરાવે છે. આ જ ગોઠવણના ભાગરૂપે મંજુલા શ્રોફ ગુજરાત ગેસ સરકારી કંપનીમાં ડિરેક્ટર છે.

ખાનગી વ્યક્તિને ડિરેક્ટર તરીકે મૂકવાનો સરકારને પૂર્ણ અિધકાર છે. પરંતુ મંજુલા શ્રોફ સરકારી કંપનીમાં ડિરેક્ટર હોય તે બાબત તેમની સરકાર સાથેની નિકટતા દર્શાવે છે.

નિત્યાનંદના હાથીજણ આશ્રમ જેવું જ પ્રકરણ અન્ય કોઇ શાળામાં બન્યું હોત તો પોલીસે શાળાના સંચાલકોને આરોપી બનાવી કઠેડામાં ઉભા પણ કરી દીધા હોત. પરંતુ સરકારી તંત્રમાં 'ખેલાડી' પ્રમાણે 'રમતના નિયમ' બદલાય છે. મંજુલા શ્રોફની વગ એવી છે કે પોલીસ તેમની દિશામાં પૂછપરછ કરવાનું આવે તો 'ધૃતરાષ્ટ્ર' બની જાય છે. 

દિલ્હી પબ્લિક સ્કૂલ ઇસ્ટ-હિરાપુર અંગેના અહેવાલો આવ્યા બાદ સરકારી તંત્રને જાગવું પડયું હતું અને ૧૬ નવેમ્બરે અમદાવાદ ગ્રામ્યના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરે તેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડીઇઓને કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ  રિસર્ચ ફાઉન્ડેશન અને નિત્યાનંદેશ્વરા દેવસૃથાનમ્ ટ્રસ્ટ વચ્ચે ૧૫ જુલાઇ ૨૦૧૯ના થયેલા કરારની નકલ પણ હાથમાં આવી હતી.

આ કરાર પ્રમાણે આ કિથત શાળાનો ૨૨૨૦૦ સ્ક્વેર ફિટનો બિલ્ટ અપ એરિયા અને આ સિવાયની જરૂરી જગ્યા કેલોરેક્સ ફાઉન્ડેશને માત્ર ૧ રૂપિયાના ટોકન ચાર્જમાં ૧ જૂન ૨૦૧૯થી ગુરૂકુળ શૈલીથી સ્કૂલ ચલાવવા માટે નિત્યાનંદેશ્વરા દેવસૃથાનમ્ ટ્રસ્ટને આપી હતી. આ કિથત શાળામાં અભ્યાસ કરતા ૨૪ બાળકોની યાદી પણ ડીઇઓએ પ્રિન્સિપાલ પાસેથી મેળવી હતી. 

૧૮ નવેમ્બરના ત્રણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, બે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સાથેની સમિતિનું ડીઇઓ દ્વારા ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટિએ એ જ દિવસે આ સૃથળની મુલાકાત લીધી હતી અને ૨૦૧૭-૨૦૧૯ના સ્કૂલના જનરલ રજીસ્ટરની નકલ મેળવી હતી.

આ જનરલ રજીસ્ટર પ્રમાણે આશ્રમમાં ૧ થી ૧૧ ધોરણમાં અભ્યાસ કરતા ૨૪ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પૈકી ૧૮ બાળકોને અગાઉની સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ કે અન્ય કોઇ ડોક્યુમેન્ટ વિના જ પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો.

ચાર વિદ્યાર્થીઓ વિદેશમાં જનમ્યા હતા. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપ્યા વિના જ ત્રણ વિદ્યાર્થીઓના એડ્મિશન કેન્સલ કરાયા હતા. ઓનલાઇન હાજરી પૂરવામાં વિદ્યાર્થીઓ 'હાજર' જણાતા હતા પરંતુ તેઓ ક્લાસમાં હાજરી જ આપતા નહીં હોવાનું સામે આવ્યું છે. આ બાબત 'રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯' અને 'રાઇટ ટુ એજ્યુકેશન ૨૦૧૨' નો ભંગ કરે છે.

Tags :