Get The App

ઘાટલોડિયા,મકતમપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા

દસ દુકાન અને છ રહેણાંકના પાર્ટ બાંધકામ તોડી પાડવામાં આવ્યા

Updated: Feb 25th, 2022

GS TEAM

Google News
Google News
ઘાટલોડિયા,મકતમપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા 1 - image

     

  અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022

અમદાવાદના ઘાટલોડિયા અને મકતમપુરા ઉપરાંત થલતેજ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

ઘાટલોડિયા વોર્ડમાં ટી.પી.સ્કીમ.નંબર-૨,ઘાટલોડિયાના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સામેના સમાંતર ૯ મીટરના રોડ ઉપર કપાતમાં જતી દસ દુકાન અને છ રહેણાંકના પાર્ટ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.થલતેજ વોર્ડમાં કલહાર એકઝોટીકા પાસે ૧૭૦૦ ચોરસફુટના બાંધકામને તોડી પાડવામાં આવ્યુ હતું.મકતમપુરા વોર્ડમાં રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટે બાંધવામાં આવેલા એક-એક યુનિટ સહિતકુલ છ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.