અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022
અમદાવાદના ઘાટલોડિયા અને મકતમપુરા ઉપરાંત થલતેજ વોર્ડમાં
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં
આવ્યા હતા.
ઘાટલોડિયા વોર્ડમાં ટી.પી.સ્કીમ.નંબર-૨,ઘાટલોડિયાના
ચાંદલોડિયા રેલવે સ્ટેશન સામેના સમાંતર ૯ મીટરના રોડ ઉપર કપાતમાં જતી દસ દુકાન અને
છ રહેણાંકના પાર્ટ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.થલતેજ વોર્ડમાં કલહાર એકઝોટીકા
પાસે ૧૭૦૦ ચોરસફુટના બાંધકામને તોડી પાડવામાં આવ્યુ હતું.મકતમપુરા વોર્ડમાં
રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટે બાંધવામાં આવેલા એક-એક યુનિટ સહિતકુલ છ બાંધકામ
તોડી પાડવામાં આવ્યા હતા.


