Get The App

યુનિ.-કોલેજોમાં પ્રવેશ માટે કોમન પરીક્ષાઃ સ્ટેટ યુનિ.પણ લાગુ કરી શકે

યુજી કોર્સમાં પ્રવેશ માટે કોમન પરીક્ષા મુદ્દે મતમતાંતર

ICSE સ્કૂલોના વિદ્યાર્થીઓને અન્યાયની ફરિયાદો

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
યુનિ.-કોલેજોમાં પ્રવેશ માટે કોમન પરીક્ષાઃ સ્ટેટ યુનિ.પણ લાગુ કરી શકે 1 - image

અમદાવાદ,

યુનિવર્સિટી-કોલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે ત્યારે યુજીસીએ સેન્ટ્રલ યુનિ.ઓ સાથે સ્ટેટ,પ્રાઈવેટ અને ડિમ્ડ યુનિ.ઓ પણ આ પરીક્ષાના આધારે પ્રવેશ આપી શકે તેવો સર્ક્યુલર કર્યો છે.જો કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે અને આઈસીએસઈ સ્કૂલોના વિદ્યાર્થીઓને અન્યાય થવાની ફરિયાદો ઉઠી છે.

યુજીસીએ જાહેર કરેલી પબ્લિક નોટિસ મુજબ સેન્ટ્રલ યુનિ.માં યુજી કોર્સીસમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ  ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષથી લાગુ થશે અને આ પરીક્ષા ગુજરાતી સહિતની ૧૩ ભાષામાં લેવાશે. આ પરીક્ષા  સ્ટેટ યુનિવર્સિટી, પ્રાઈવેટ યુનિવર્સિટી અને ડિમ્ડ યુનિવર્સિટી પણ પોતાના યુજી પ્રવેશ માટે લાગુ કરી શકે છે. આ પરીક્ષા એનસીઈઆરટીના કોર્સ મુજબ લેવામા આવશે. પરંતુ કેટલાક સ્ટેટ બોર્ડ પોતાનો અભ્યાસક્રમ ભણાવતા હોઈ એનસીઈઆરટી મુજબની પરીક્ષામાં તેઓને અન્યાય થઈ શકે છે.આ પરીક્ષાને લઈને એક્સપર્ટસમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને આસીએસઈ સ્કૂલો કે જેઓના વિદ્યાર્થીઓનો ધો.૧૧-૧૨નો કોર્સ સંપૂર્ણ અલગ હોય છે તેઓને આ પરીક્ષાના આધારે યુજી કોર્સીસમાં પ્રવેશથી અન્યાયની ફરિયાદો ઉઠી છે.આ પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન એપ્રિલના અંતમાં શરૃ થનાર છે ત્યારે હાલ કેટલાક કોચિંગ ક્લાસીસો આ પરીક્ષા માટેનું કોચિંગ આપવાનું શરૃ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ કે જેઓ આ પરીક્ષા માટે તૈયારી શકે તેમ ન હોઈ તેઓને પણ સેન્ટ્રલ યુનિ.ઓમાં આ પરીક્ષાના આધારે પ્રવેશ માટે અન્યાય થવાની ફરિયાદો ઉઠી છે.જ્યારે વિદેશી વિદ્યાર્થીઓને ભારતીય યુનિ.માં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ છે અને હાલના સુપરન્યુમરી સીટો પર પ્રવેશ આપવાના નિયમો મુજબ જ તેઓને પ્રવેશ અપાશે. હાલ તો યુજીસીએ પણ  સેન્ટ્રલ યુનિ.ઓમાં યુજી કોર્સીસમાં પ્રવેશ માટે કોમન અન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે પરંતુ જે તે રાજ્યોની સ્ટેટ અને પ્રાઈવેટ યુનિ.ઓ આ પરીક્ષાના આધારે પ્રવેશ આપશે કે કેમ તે પ્રશ્ન છે.