Get The App

ચાંગોદર વસાહતમાં છાશવારે વીજ પુરવઠો ઠપ થતાં ઉત્પાદકો ત્રસ્ત

અઠવાડિયામાં ત્રણ દિવસ વીજપુરવઠો ખોરવાઈ જતાં પ્રોડક્શનના શિડયુલ પર પડતી અસર

Updated: Sep 19th, 2022

GS TEAM


Google News
Google News
ચાંગોદર વસાહતમાં છાશવારે વીજ પુરવઠો ઠપ થતાં ઉત્પાદકો ત્રસ્ત 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

અમદાવાદ નજીક આવેલી ચાંગોદર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને આપવામાં આવતો વીજ પુરવઠો અઠવાડિયામાં ત્રણેક દિવસ દોઢથી ત્રણ કલાક માટે અટકી જતો હોવાથી આ ઔદ્યોગિક વસાહતના ૨૫૦૦ જેટલા એકમોની હાલાકી વધી રહી છે. આ મુદ્દે ઉત્તર ગુજરાત વીજ કંપનીને ફરિયાદ કરવામાં આવતી હોવા છતાંય તેમને નિયમિત ક્વોલિટી પાવર સપ્લાય મળે તે માટે કાોઈ જ પગલાં ન લેવાતા હોવાની ફરિયાદ થઈ છે.

ચાંગોદર ઔદ્યોગિક વસાહતના ઉત્પાદકોનું કહેવું છે કે આજે પણ સાંજે છ વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ અંગે ફરિયાદ કરવામાં આવી તો સાંજે ૬.૧૪ કલાકે તેમને મેસેજ મોકલી આપવામાં આવ્યો હતો કે વીજળી સપ્લાય અટકાવવામાં આવ્યો છે. આ અંગે ફોન કરીને ફરિયાદ કરવામાં આવે તો તેમારી ફરિયાદ  ૧૯૧૨૧ નંબર પર લખાવી દેવાની સૂચના અપાય છે. આ ફરિયાદ લખાવ્યા પછીય કોઈ પ્રતિભાવ ન મળતો હોવાની ઔદ્યોગિક વસાહતના એકમોની ફરિયાદ છે. તેમ જ મેઈલ પર ફરિયાદ મોકલવામાં આવે તો તે જોવામાં પણ આવતી ન હોવાનું ઔદ્યોગિક એકમના માલિકોનું કહેવું છે.

ચાંગોદરની ઔદ્યોગિક વસાહતના રસ્તાઓ પણ બહુ જ ખરાબ હોવાની ફરિયાદ છે, પરંતુ તેના નિવારણ માટે પણ કોઈ જ પગલાં ન લેવાતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 


Tags :