Get The App

ડાકોર ધામમાં ઑનલાઇન દર્શનના સમયમાં ફેરફાર

- 10.45 વાગ્યે શ્રીજી રાજભોગ આરોગીને 11.30 વાગ્યે પોઢી જશે.

Updated: May 14th, 2021

GS TEAM

Google News
Google News
ડાકોર ધામમાં ઑનલાઇન દર્શનના સમયમાં ફેરફાર 1 - image


ડાકોર

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ ડાકોરધામમાં ઓનલાઈન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે હાલમાં મંદિરમાં વૈષ્ણવો માટે પ્રવેશ સદંતર બંધ છે. આ સ્થિતિમાં મંદિર તંત્ર તરફથી ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર તરફથી જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે ૧૪-૫-૨૦૨૧(પૂનમ)થી ૨૪-૬-૨૦૨૧ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન મંગળાઆરતીનો સમય સવારે ૭-૧૫નો રહેશે અને દર્શન ૮-૩૦ સુધી ખુલ્લા રહેશે. ત્યારબાદ ૯-૦૦થી ૧૦-૧૫ સુધી દર્શન ખુલ્લા રહેશે. ૧૦-૪૫ વાગ્યે શ્રીજી રાજભોગ આરોગીને ૧૧-૩૦ વાગ્યે પોઢી જશે. બપોરે ૪-૦૦ વાગ્યે નીજમંદિર ખુલશે, ૪-૧૫ વાગ્યે ઉત્થાપન આરતીના દર્શન થઈ શયનભોગ-સખડીભોગ અને દૂધભાતની સેવા થઈ સાંજે ૭-૦૦ વાગે શ્રીજી પોઢી જશે.

Tags :