ડાકોર ધામમાં ઑનલાઇન દર્શનના સમયમાં ફેરફાર
- 10.45 વાગ્યે શ્રીજી રાજભોગ આરોગીને 11.30 વાગ્યે પોઢી જશે.
ડાકોર
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ ડાકોરધામમાં ઓનલાઈન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે હાલમાં મંદિરમાં વૈષ્ણવો માટે પ્રવેશ સદંતર બંધ છે. આ સ્થિતિમાં મંદિર તંત્ર તરફથી ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર તરફથી જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે ૧૪-૫-૨૦૨૧(પૂનમ)થી ૨૪-૬-૨૦૨૧ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન મંગળાઆરતીનો સમય સવારે ૭-૧૫નો રહેશે અને દર્શન ૮-૩૦ સુધી ખુલ્લા રહેશે. ત્યારબાદ ૯-૦૦થી ૧૦-૧૫ સુધી દર્શન ખુલ્લા રહેશે. ૧૦-૪૫ વાગ્યે શ્રીજી રાજભોગ આરોગીને ૧૧-૩૦ વાગ્યે પોઢી જશે. બપોરે ૪-૦૦ વાગ્યે નીજમંદિર ખુલશે, ૪-૧૫ વાગ્યે ઉત્થાપન આરતીના દર્શન થઈ શયનભોગ-સખડીભોગ અને દૂધભાતની સેવા થઈ સાંજે ૭-૦૦ વાગે શ્રીજી પોઢી જશે.