Updated: May 26th, 2023
નરોડા હિંમતનગર હાઇવે ઉપર
નવસારીથી કેરી ભરીને ટેમ્પો પ્રાંતિજ જઈ રહ્યો હતો તે સમયે અકસ્માતની ઘટનાથ એક ઘાયલથ ડભોડા પોલીસની તપાસ
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પ્રાંતિજમાં
રહેતા લાલાજી કચરાજી મકવાણા ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેઓ
ટેમ્પો લઈને નવસારી ખાતે ગયા હતા અને ત્યાંથી કેરીઓ ભરીને પરત પ્રાંતિજ જઈ રહ્યા
હતા તે દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ચિલોડા નરોડા હાઇવે ઉપર તેઓ ટેમ્પો લઈને પસાર
થઈ રહ્યા હતા તે સમયે લવારપુર ઓવરબ્રિજ ચડતા સમયે આગળ જતા ટ્રકની પાછળ ટેમ્પો ઘૂસી
ગયો હતો. જેના કારણે લાલાજી અને ક્લીનરને ગંભીર જાઓ પહોંચી હતી. આકસ્માતની ઘટનાને
પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઘાયલોને સારવાર
માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન
લાલાજીનું મોત થયું હતું. આ અકસ્માતને પગલે ટેમ્પોના માલિકને જાણ કરવામાં આવતા તેઓ
પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમની ફરિયાદના આધારે ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને
વધુ તપાસ શરૃ કરી હતી. નોંધવું રહેશે કે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ગતિ મર્યાદા
નું ઉલ્લંઘન કરતા વાહનો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે.