Gujarat

લીમખેડા, ગરબાડા તેમજ ઝાલોદ તાલુકામાં ૨૦ પશુના રહસ્યમય મોત

By GS Team
14 Jan 20201 min read
This article was originally published on 14 Jan 2020
TukuTouch Logo
દાહોદ જિલ્લાના લીમખેડા,ગરબાડા અને ઝાલોદ તાલુકાઓમાંં છેલ્લા દસ દિવસ દરમ્યાન ૨૦ જેટલા પશુઓના મોતથી તંત્ર દોડતુ થયું છે. પશુઓના મોતથી ગ્રામજનો ચિંતીત થઇ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લીમખેડા, ગરબાડા તેમજ ઝાલોદ તાલુકામાં ૨૦ પશુના રહસ્યમય મોત

દાહોદ તા.14 જાન્યુઆરી, મંગવાર

દાહોદ જિલ્લાના લીમખેડા,ગરબાડા અને ઝાલોદ તાલુકાઓમાંં છેલ્લા દસ દિવસ દરમ્યાન ૨૦ જેટલા પશુઓના મોતથી તંત્ર દોડતુ થયું છે.  પશુઓના મોતથી ગ્રામજનો ચિંતીત થઇ ગયા છે.

ઝાલોદ,લીમખેડા અને ગરબાડા તાલુકામાં કુલ ૨૦ જેટલા પશુઓના એક પછી એક મોત થતાં દાહોદ જિલ્લા પશુ વિભાગ દોડતુ થયું છે. પશુ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આ પશુઓના મોત ઘાસમાં ફુગ અને પોઈઝનના કારણે થયા છે.  પશુઓના મોતને પગલે માલિકોને લાખ્ખોનું નુકસાન થયું હોવાનું મનાય છે ત્યારે આવા સમયે પશુ માલિકોએ સરકાર પાસે સહાયની આશા પણ વ્યક્ત કરી છે. લીમખેડા તાલુકાના ભીમપુરા, ઝાલોદ તાલુકાના ડુંગરી અને ગરબાડા તાલુકાના અભલોડ ગામના મળી ૨૦ મૃત પશુઓનો સમાવેશ થાય છે.

ઇન્ચાર્જ નાયબ પશુપાલન કે.એલ. ગોસાઇએ આ અંગે જણાવ્યું હતું કે ડુંગરી ગામમાં ૨૪ તારીખ પછી પશુઓના નાક તેમજ મોંઢામાંથી લોહી નીકળવાનું શરૃ થયું હતું બાદમાં પશુઓએ ધીરે ધીરે ખાવાનું બંધ કરતા મોત થયા  છે. તેમણે કહ્યું હતું કે અમે  મૃત પશુઓના પોસ્ટમોર્ટમ તેમજ તેના રિપોર્ટો કરાવતાં તેમાં કોઈ ચોક્કસ કારણ ન જણાતા ઘાસ ચારાની તપાસણીમાંં ઘાસમાં ફુગ તેમજ પોઈઝન હોવાનું  જણાયું હતુ. હાલ બીજા પશુઓની સારવાર ચાલુ છે.