લગ્ન કરવાની લાલચ આપીને ૧૫ વર્ષની કિશોરીને ભગાડી જનાર પ્રેમીને ૧૦ વર્ષની સખત કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા,તા,10,ડિસેમ્બર,2019,મંગળવાર
અનગઢ ગામમાં રહેતો યુવક ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. અને કિશોરી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જે ગુનામાં અદાલતે યુવકને કસુરવાર ઠેરવીને ૧૦ વર્ષની સખ્ત કેદ તથા એક લાખ રૃપિયા વળતર તરીકે વિકટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે શહેર નજીકના એક ગામમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી ધો.૧૦માં અભ્યાસ કરે છે. ગત તા.૧૮-૫-૨૦૧૭ની રાત્રે ૧૫ વર્ષની કિશોરી પરિવાર સાથે અગાશી પર સૂઈ ગઈ હતી. રાત્રીના સમયે કિશોરીને આરોપી અતુલ હસમુખભાઈ રાઠોડ (રોહિત) ઉ.વ.૨૮ (રહે. અનગઢગામ તા.વડોદરા) લગ્નની લાલચ આપીને મિત્ર અનિત હસમુખભાઈ સોલંકી (રહે. કરચીયા ગામ)ની મદદથી ભગાડી ગયો હતો. જે અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
લક્ષ્મીપુરા પોલીસે આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરી હતી. સરકારી વકીલ એચ.આર.જોશીની રજૂઆતો પોલીસ પેપર્સ તેમજ બચાવપક્ષની રજૂઆતો ધ્યાને લઈ અદાલતે આરોપી અતુલ રાઠોડને કસુરવાર ઠેરવીને ૧૦ વર્ષની સખત કેદ કરી છે. અદાલતે નોંધ્યું હતુ કે આરોપી અને ભોગ બનનાર બંને મુંબઈ મુકામે એકાદ મહિનો રોકાયા છે. તે સમય દરમિયાન આરોપીએ ભોગ બનનારને કોઈ શારીરીક હાનિ પહોંચાડી હોય તેવો પ્રોસિક્યુશનનો કેસ નથી આરોપી પોતે ભોગ બનનારને લઈને સ્વેચ્છાએ પોલીસ સમક્ષ સામેથી હાજર થયો છે. તમામ રજૂઆતો ધ્યાને લઈ અદાલતનું માનવું છે કે આ કેસ મહત્તમ સજાનો નથી.




