Get The App

નવરાત્રીમાં વ્રત સાથે ફોલો કરો આ ડાયટ, શરીરમાં ન થવા દેવી પાણીની ઊણપ

Updated: Sep 30th, 2019

GS TEAM

Google News
Google News
નવરાત્રીમાં વ્રત સાથે ફોલો કરો આ ડાયટ, શરીરમાં ન થવા દેવી પાણીની ઊણપ 1 - image


નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2019, રવિવાર

આપણા શરીરને પણ સારી રીતે કામ કરવા માટે સાફ સફાઈની જરૂર પડે છે. આ સાફ સફાઈ વ્રત અને ઉપવાસ વડે થઈ શકે છે. શરીરને અંદરથી શુદ્ધ કરવાનું કામ આ વર્ષે નવરાત્રીમાં કરી શકાય છે. જી હાં ભક્તિથી કરવામાં આવતા ઉપવાસને એવી રીતે કરવો કે જે શરીરને વધારે સ્વસ્થ બનાવે.

નવરાત્રી દરમિયાન શરીર અને મનને અંદરથી શુદ્ધ રાખવાની પ્રતિજ્ઞા સૌથી પહેલા કરવી. આ સાથે જ ઉપવાસ કરી મનને અનુશાસિત કરવાનો નિશ્ચય કરવો. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ઉપવાસમાં કેટલીક ભુલ ન થાય. આ ભુલ કરશો તો નબળાઈ આવી શકે છે. ઉપવાસ માટે ખાણીપીણી યોગ્ય રીતે પસંદ કરવી. નવરાત્રી દરમિયાન વિષાક્ત વસ્તુઓથી દૂર રહેવું.

નવરાત્રી એટલે કે નવ દિવસ સુધી નવી દિનચર્યા અપનાવવાની હોય છે. આમ કરવાથી ફિટનેસ સાથે મિત્રતા થઈ જશે. વ્રતના નવ દિવસ પોતાની ઈંદ્રિયોને પણ નિયંત્રણમાં રાખવી. આ નિયંત્રણ રાખી અને ક્રેવિંગને કંટ્રોલ કરી શકાય છે. 

વ્રત એટલે આહારની મનાઈ નહીં

આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. વ્રત એટલે તેનો અર્થ નથી કે તમે અનાજ લેવાનું બંધ કરી દો. વ્રત દરમિયાન યોગ્ય વસ્તુની પસંદગી કરવી. વ્રત દરમિયાન લોકો અજાણતા હાઈ ગ્લાઈસેમિક ફૂડ લેતા હોય છે જેનાથી રક્તમાં શુગર વધી જાય છે. વ્રત દરમિયાન બટેટા, સાબુદાણા, તળેલા ખોરાક, અને મીઠાઈથી દૂર રહેવું. લો ગ્લાઈસેમિક ફૂડ પચવામાં સમય લે છે અને તેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. 

વ્રત દરમિયાન સુકામેવા, લીલા શાક, ફળ, પનીર વધારે લેવું. આ ઉપરાંત સામો અને ચોખા લઈ શકાય છે. બટેટાને બદલે શક્કરીયા લેવા જેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. ફાયબરયુક્ત આહાર લેવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. 

પાણીની ખામી ન થવા દો

વ્રતના દિવસોમાં પાણી વધારે પ્રમાણમાં લેવું. દિવસભરમાં 7,8 ગ્લાસ પાણી ઉપરાંત અન્ય તરલ પદાર્થો પીવા. વ્રત દરમિયાન લીંબુ પાણી, કાકડીનો રસ, ફુદીનાનું પાણી, જ્યૂસ વગેરેનું સેવન કરવું. આ ઉપરાંત સૂપ કે અન્ય ગરમ પ્રવાહી લઈ શકાય છે. આ ઉપરાંત પ્રોસેસ્ડ શુગર લેવાનું પણ ટાળવું, તે શરીર માટે નુકસાનકારક છે. તેના બદલે ગોળ કે સાકરનો ઉપયોગ કરી શકાય છે. 

બહારનું ભોજન લેવાનું ટાળવું

વ્રત દરમિયાન હોટેલનું ભોજન ખાવું નહીં. તેમાં પણ ચરબીયુક્ત આહાર લેવો નહીં. 

સારી ઊંઘ કરવી

મેડિકલ રિસર્ચ અનુસાર પર્યાપ્ત ઊંઘ કરવી પણ શરીરના વિષાક્તોને સાફ કરે છે. મગજની જે કોશિકાઓને ગ્લેએલ સેલ કહે છે તે ઊંઘ દરમિયાન દસ ગણી સક્રિય થાય છે અને મગજમાંથી વિષાક્તોને દૂર કરવાનું કાર્ય શરૂ કરે છે. 

Tags :