FOLLOW US

જો તમારામાં પણ આ 5 લક્ષણો હોય તો ચેતી જજો નહીંતર નેગેટીવ પર્સનાલિટી બનતા વાર નહીં લાગે

Updated: Aug 25th, 2023


                                                  Image Source: Freepik

અમદાવાદ, તા. 25 ઓગસ્ટ 2023 શુક્રવાર

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બે બાબતોને લઈને ચાલે છે એક સારુ અને બીજુ ખરાબ. આ કોઈ સિક્કાની બે બાજુની જેમ છે જેના વિના તમે કોઈ પણ વ્યક્તિને સમજી ન શકો. મોટાભાગના લોકો પોતાની ખામીઓને જોઈ શકતા નથી અને તેના કારણે તેઓ ક્યારે સંપૂર્ણરીતે નેગેટીવ પર્સનાલિટી બની જાય છે તેમને એ વાતની જાણ પણ થતી નથી. 

આ 5 બાબતો નેગેટીવ પર્સનાલિટી બનાવે છે

1. કઠોર અને અહંકારી હોવુ

જો તમારો દ્રષ્ટિકોણ લોકો પ્રત્યે ખૂબ કઠોર અને ખૂબ આલોચનાત્મક છે તો તમે નેગેટીવ પર્સનાલિટી બનવા તરફ છો, કેમ કે ભલે તમે અન્યનું તુલનાત્મક અવલોકન કરી રહ્યા હોવ પરંતુ હકીકતમાં તમે અહંકારી છો અને પોતાના અહંકારને પ્રોત્સાહન આપી રહ્યા છો અને ઘમંડી બનતા જઈ રહ્યા છો.

2. Bossy નેચર હોવો

જો તમે નિર્ણય સંભળાવનારમાંથી હોવ અને તમે અન્યની વાતોને સાંભળવા માંગતા નથી તો આ તમને નેગેટીવ પર્સનાલિટી તરફ લઈ જઈ શકે છે કેમ કે આ કારણે લોકો તમારાથી અંતર રાખશે અને ડરના કારણે તમારી વાત માનશે, ઈજ્જતના કારણે નહીં. 

3. બેઈમાની કરવી

જો તમે પોતાના નાના કાર્યમાં પણ બેઈમાની કરી રહ્યા હોવ અને એ વિચારી રહ્યા હોવ કે આનાથી કંઈ નહીં થાય તો તમે ખોટા છો કેમ કે બેઈમાની ક્યારેય ઓછી થતી નથી, દરરોજ વધતી જાય છે. આજે તમે નાના કામમાં બેઈમાની કરી છે, કાલે તમે મોટા પાયે કરશો અને પછી એક દિવસ તમારી ઈમાનદારી મરી જશે. 

4. નિરાશાવાદી હોવુ

નિરાશા તમારા મનને જ નહીં તમને પણ ખતમ કરી શકે છે, જો તમે હંમેશા નિરાશાવાદી શબ્દોનો ઉપયોગ કરો છો કે પછી હંમેશા ખરાબ બાબતો ઘટિત હોવાની આશા કરો છો તો આ નેગેટિવ પર્સનાલિટી તરફ સંકેત કરે છે. 

5. જૂની વાતો કરવી

નેગેટિવ પર્સનાલિટી ધરાવતા લોકો ઘણી વખત જૂની વાતો કરીને પરેશાન રહે છે અને ભવિષ્યમાં પણ તેવુ જ થવાની ચિંતા વ્યક્ત કરે છે. તો જો તમારી અંદર તમને આ બાબતો જોવા મળી રહી હોય તો તમારે સાચવી લેવુ જોઈએ અને આ તમામ બાબતોને કરવાથી બચવુ જોઈએ. 

Gujarat
English
Magazines