દૂધની જેમ ચમકવા લાગશે ચાંદીની મૂર્તિ અને વાસણ, જાણો તેને ચમકાવવાની ટ્રિક
નવી દિલ્હી,તા. 31 ઓક્ટોબર 2023, મંગળવાર
દિવાળીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. દિવાળી પર લોકો ઘણી ખરીદી કરે છે, ઘર અને આસપાસના સ્થળોને દીવાઓથી શણગારવામાં આવે છે. તેમજ ઘરમાં પુજા કરવામાં આવે છે.
દિવાળી દરમિયાન પૂજા થાળીમાં ચાંદીનો સિક્કો રાખવો શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો ચાંદીના લક્ષ્મી-ગણેશની પૂજા કરે છે. આનાથી દર વખતે મૂર્તિ ખરીદવાની ઝંઝટ દૂર થાય છે. જો કે, જૂની ચાંદીની વસ્તુઓ રાખવાથી કાળી થવા લાગે છે. ચાંદીની સફાઈ કોઈ કામથી ઓછી નથી. તેથી અહીં કેટલીક ટિપ્સ આપેલી છે, જે તમારા કામમાં આવશે.
બેકિંગ સોડાથી ચાંદીને સાફ કરો - બેકિંગ સોડાનો ઉપયોગ મોટાભાગની વસ્તુઓને સાફ કરવા માટે થાય છે. ચાંદીની વસ્તુઓને સાફ કરવા માટે, બેકિંગ સોડાને થોડા પાણીમાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો. તેને બ્રશની મદદથી ચાંદીના વાસણો અને જ્વેલરી પર લગાવો. હવે વસ્તુઓને ધોઈ, સ્વચ્છ કપડાથી લૂછીને સૂકવી લો. ચાંદી પરની કાળાશ સંપૂર્ણપણે સાફ થઈ જશે.
ટૂથપેસ્ટથી ચાંદીને સાફ કરો - ચાંદીની વસ્તુઓને સાફ કરવા માટે જૂના બ્રશ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને તેને ચાંદીની વસ્તુઓ પર લગાવો. પેસ્ટને થોડીવાર માટે છોડી દીધા પછી, તેને ઘસીને સાફ કરો. આ માટે કોલગેટ પેસ્ટ અથવા પાવડર શ્રેષ્ઠ છે. આ રીતે ચાંદીની વસ્તુઓ ચમકવા લાગશે.
વિનેગર - તમે ચાંદીના સિક્કા અથવા મૂર્તિને સાફ કરવા માટે વિનેગરમાં થોડું મીઠું ઉમેરો. હવે આ દ્રાવણને ચાંદીના વાસણ પર લગાવો અને ઘસો. ચાંદીના વાસણોને હૂંફાળા પાણીથી સાફ કરો.
ટોમેટો સોસ- જો તમને ચાંદીની વસ્તુઓ કેવી રીતે સાફ કરવી તે સમજાતું નથી, તો તમે ટામેટાની ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. ટામેટાની ચટણી ચાંદીની કાળાશ દૂર કરે છે. આ માટે ચાંદીની વસ્તુઓ પર ટામેટો સોસ લગાવીને અડધો કલાક રહેવા દો. હવે તેમને ઘસીને સાફ કરો અને પાણીથી ધોઈ લો. ચાંદી નવા જેવી ચમકવા લાગશે.
ચાંદીને સેનિટાઈઝરથી સાફ કરો- એક વાસણમાં સેનિટાઈઝર કાઢીને તેમાં ચાંદીની વસ્તુઓ રાખો. થોડા સમય માટે તેમને આમ જ રહેવા દો અને પછી સ્ક્રબની મદદથી સાફ કરો. આ રીતે ચાંદી અને અન્ય ઘણી ધાતુઓ પણ સાફ થઈ જશે.