Get The App

વારંવાર થાકી જતાં હોવ તો ડાયટમાં સામેલ કરો આ 5 'સુપરફૂડ', હંમેશા રહેશે એનર્જી

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
5 Foods in Diet give you Instant Energy


5 Foods in Diet give you Instant Energy:  સવારે ઉઠતાંની સાથે જ તમને થાક લાગે છે. નાસ્તો કર્યા પછી પણ આ થાક દૂર થતો નથી. તેમજ બપોરનું ભોજન કર્યા પછી પણ જો થાક તમારા પર હાવી રહે છે. તો આ જાણકારી તમારા માટે છે. મોટા ભાગના લોકો તેને આ નાની સમસ્યા સમજીને અવગણે છે, પણ ભવિષ્યમાં તમારા માટે આ મોટી સમસ્યા બની શકે છે.

એવામાં આ સમસ્યાથી રાહત મેળવવા માટે, તમારે ડાયટમાં કેટલાક એનર્જી વધારતા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી માત્ર એનર્જી જ નથી વધતી પરંતુ બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ પણ જોવા મળે છે.

બદામ ખાવાથી તમે એનર્જેટિક બનશો

જો તમને નબળાઈ લાગે છે, તો તમે બદામનું સેવન કરી શકો છો. તેમાં રહેલા ઓમેગા-૩ ફેટી એસિડ, મેગ્નેશિયમ અને વિટામિન ઇ જેવા પોષક તત્ત્વો શરીરને એનર્જી આપે છે.

એવોકાડો ખાવાથી પણ શરીરને એનર્જી મળશે

એવોકાડોમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર, પોટેશિયમ, ફોલેટ, મેગ્નેશિયમ, વિટામિન E, C, B6 અને K જેવા પુષ્કળ પોષક તત્ત્વો હોય છે, જે શરીરને એનર્જી પૂરી પાડવાનું કામ કરે છે.

કેળા ખાવાથી એનર્જી મળશે અને સાથે પેટ પણ સ્વસ્થ રહેશે 

કેળાનું સેવન પણ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્ત્વો મળી આવે છે, જે પાચન સારું કરવામાં મદદ કરે છે અને શરીરને એનર્જી પૂરી પાડે છે.

આ પણ વાંચો: ઉનાળામાં સનટેનની સમસ્યા થશે દૂર, ઘરે પાછા ફરતાંની સાથે જ કરો 4 ઉપાયો

બદામની જેમ અખરોટનું સેવન પણ આપશે એનર્જી

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન ઇ જેવા ઘણા પોષક તત્ત્વો હોય છે. આવી સ્થિતિમાં, તેનું સેવન શરીરને ઉર્જા આપવા અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.

સંતરા શરીરને શક્તિ આપશે

સંતરામાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણો, ફાઇબર, વિટામિન સી અને અન્ય પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને એનર્જી આપે છે તેમજ તેના કારણે સ્કીન પણ ત્વચા હેલ્ધી રહે છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે.

વારંવાર થાકી જતાં હોવ તો ડાયટમાં સામેલ કરો આ 5 'સુપરફૂડ', હંમેશા રહેશે એનર્જી 2 - image

Tags :