આ 5 ઘરગથ્થુ ઉપચારથી તુરંત ખુલી જશે બંધ નાક અને ગળાને મળશે આરામ
નવી દિલ્હી, 17 નવેમ્બર 2019, રવિવાર
શિયાળાની શરૂઆત થાય કે તુરંત નાક બંધ થવું, ગળામાં દુખાવો, ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે અને ઘરમાં પડેલી પેન કિલર દવાઓ ખાઈ લેતા હોય છે. પરંતુ વારંવાર આવી દવાઓ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેથી આવી સામાન્ય તકલીફોમાં દવા લેવાનું ટાળી અને ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ. આ ઉપચાર કયા કયા છે ચાલો જાણી લો.
ગરમ લિક્વિડનું સેવન કરો
બંધ નાક અને ગળામાં સમસ્યા હોય તો ગરમ લિક્વિડનું સેવન કરવું જોઈએ. પાણીને હુંફાળુ ગરમ કરી પી શકાય અથવા તો આદુ, બ્લેક ટી અને ઉકાળો પણ પી શકાય છે.
મરી પાવડર સાથે મધ
શરદી અને પોલ્યૂશનના કારણે નાક બંધ થઈ જતું હોય તો મરી પાવડર અને મધનું મિશ્રણ ઉત્તમ છે. એક મોટી ચમચી મધમાં 2થી 3 ચપટી મરી પાવડર ઉમેરી રાત્રે સૂતા પહેલા લેવું. આ મિશ્રણને ધીરે ધીરે ચાટવાને બદલે એક સાથે તેને ખાઈ લેવું.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
સ્ટીમ લો
બંધ નાક અને ખરાબ ગળાને રાહત આપવા માટે ગરમ પાણીમાં વિક્સ ઉમેરી અને સ્ટીમ લેવાથી પણ રાહત થાય છે.
લસણનું કરો સેવન
શરદીથી બચવા માટે લસણનું સેવન ખાસ કરવું. દિવસમાં એકવાર લસણની કળીને કાચી ખાઈ લેવી. જો કાચી ન ખાવી હોય તો દાળ અને શાકમાં તેનો ઉપયોગ કરો. લસણની ચટણીનું સેવન પણ શિયાળામાં કરવાથી લાભ થાય ચે.
દૂધમાં આદૂ
શરદી થઈ હોય તો ગરમ દૂધમાં આદુ ઉમેરી તેનું સેવન કરવું. આદૂ સાથે હળદર પણ ઉમેરી શકાય છે. આ દૂધ નિયમિત પીવાથી શરદીમાં તુરંત રાહત મળે છે.