દુનિયાભરમાં પ્રખ્યાત સફેદ રણ જવા એક પણ એસ.ટી. બસ નથી
- ગુજરાતના પ્રવાસન સ્થળો પ્રત્યે એસ.ટી.તંત્રને સુગ!
- સફેદ રણ ઉપરાંત માઉન્ટ આબુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા પણ સીધી એક પણ બસ નથી
ભુજ,શુક્રવાર
ગુજરાતમાં સરકારના પ્રયત્નોથી પ્રવાસનને વેગ મળી રહ્યો છે. જેમાં સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે તમામ સુવીધાઓ પ્રવાસીઓને પૂરી પાડે છે જેાથી પ્રવાસીઓને કોઈ પણ અસુવિાધા ન રહે.આ માટે સરકાર દ્રારા વિવિાધ યોજનાઓ અને પ્રચાર-પસાર કરવામાં આવે છે જેાથી પ્રવાસીઓને સુવિાધા સચવાય,પરંતુ કરછનું એસ.ટી. તંત્ર જાણે નિષ્ક્રિય હોય તેવું લાગે છે, જાણે સરકારના પ્રવાસનને વેગ આપવામાં કરછ એસ.ટી. તંત્ર ગુજરાત ના મહત્વના સૃથળોએ એક પણ બસ આવા રૃટ ઉપર ચલાવતું નાથી.
જેમાં વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી કે જ્યાં દુનિયાભરાથી પ્રવાસીઓ આવી રહ્યા છે તે રૃટ પર સીધી કોઈ જ બસ નાથી.તદઉપરાંત ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન કે જ્યાં પણ દેશ-વિદેશના પ્રવાસીઓ બારે માસ જાય છે ત્યાં જવા માટે પણ કરછમાંથી એક પણ એસ.ટી બસ નાથી. તદઉપરાંત ગુજરાતીઓનું સૌથી ફેવરેટ વેકેશન સૃથળ માઉન્ટઆબુ જવા માટે પણ કોઈ જ સુવીધા નાથી. આ તો થઇ જીલ્લા બહાર જવાના રૃટ ની વાત પરંતુ વિશ્વ આખામાં પ્રચલિત અને કરછને પ્રવાસન ક્ષેત્રે નામના અપાવનાર સફેદ રણ- ધોરડો કે જ્યાં હાલમાં પ્રવાસીઓ ની મોસમ ચાલે છે ત્યાં જવા માટે પણ કોઈ જ સીધી એસ.ટી.બસ ની વ્યવસૃથા નાથી. જેનાથી એ ફલિત થાય છે કે કરછ એસ.ટી તંત્ર ને ઉપરોકત પ્રવાસન સૃથળોએ કરછ ના પ્રવાસીઓ ને સુવીધા મળી રહે તે માટે કોઈ જ રસ નાથી તેવું લાગી રહ્યું છે.જેાથી કરછ એસ.ટી તંત્ર પ્રવાસીઓ અને આમ લોકો ની સુવીધા માટે મહત્વના સૃથળો પર તાત્કિલ રૃટો ચાલુ કરે તો સુવિાધામાં વાધારો થાય અને કરછ એસ.ટી ની આવકમાં પણ વાધારો થાય તેવી રજુઆત વિહાંગ ઠકકરે કરી છે.