ચોમાસા પછી આવતી મેળાઓની મોસમ હવે યાદ બનીને રહી ગઈ
- કચ્છએ એવું સ્થળ છે જયાં મેળાઓ અને તહેવારોને માણવાનો આનંદ આવે છે
- છેલ્લા એક દોઢ વર્ષથી આવા ભાતીગળ મેળા રદ થવાના કારણે લોકોની મજા ઝુંટવાઈ તો નાના-મોટા વેપારીઓને આર્થિક ફટકો
ભુજ,શનિવાર
કોરોનારૃપી આફતએ છેલ્લા દોઢેક વર્ષાથી લોકોના મોજ શોખને છીનવી લીધા છે. કોરોનાએ પારિવારીક- સામાજીક પ્રસંગોની રોનક છીનવી લીધી છે. સરકારની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમો યોજવા પડતા હોવાથી મર્યાદીત સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવુ પડે છે. ત્યારે, શ્રાવણ મહિનાથી શરૃ થતો વાર તહેવારોની શ્રૃંખલા જાણે કોરોનાએ ભુલાવી નાખી હોય તેવો તાલ જોવા મળે છે. કચ્છ જિલ્લાએ ભાતીગળ સંસ્કૃતિને સાચવી રાખી છે. આવી ભાતીગળ સંસ્કૃતિના વિવિાધ પ્રસંગો-વાર તહેવારો અને મેળા મલાખડાઓમાં જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે પણ કોરોનાના કારણે શ્રાવણ મહિનામાં યોજાનારા સાતમ આઠમ સહિતના મેળાઓ રદ થવાના કારણે ઝાંખપ વર્તાઈ હતી. કચ્છમાં દર વર્ષે આ દિવસોમાં મેળાઓ યોજવામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે યોજી ન શકાતા લોકો પણ મેળાના આનંદાથી વંચિત રહ્યા તો નાના મોટા ધંધાર્થીઓને પણ આિાર્થક ફટકો સહન કરવો પડયો છે.
કચ્છએ એવુ સૃથળ છે જ્યાં દરેક જીવોને મેળાઓ અને તહેવારો સાથે જીવનનો આનંદ માણવામાંનો આનંદ આવે છે. તેમાંના કેટલાક ખૂબ જ અનન્ય અને પરંપરાગત મેળાઓ છે. જ્યાં કચ્છના વિવિાધ જાતિઓના લોકો જેવા કે રાબરી, આહીર, મારવાડા, મેઘવાળ, સોઢા, જત, કોળી અને અન્ય તમામ સમુદાયો પોતાના પરંપરાગત પહેરવેશમાં આવે આવે છે અને ખુશીથી મેળાનો આનંદ માણે છે. ખાસ કરીને ચોમાસા પછી મેળાઓ અને તહેવારોની મોસમ આવે છે.
પૂર્વ કચ્છ ના મેળા જેવા કે રવેચીનો મેળો, વોંધનો મેળો, સંગવારીનો મેળો વિગેરે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મહીનાના વિશિષ્ટ મેળા છે. જે તમામ લોકો માટે ખુબ જ માણવાલાયક મેળા છે. પશ્ચિમ કચ્છના મેળામાં, મોટા યક્ષનો મેળો, હાજીપીરનો મેળો, મતીયા દેવનો મેળો, માઇ મેળો મુખ્ય છે. ઉત્તર કચ્છના મેળામાં, ધ્રંગનો મેળો,દત્તાત્રય (કાળા ડુંગર)નો મેળો, સાધારાનો મેળો, િધણોધર દાદાનો મેળો, ફુલપીર મેળો માણવા લાયક છે. દક્ષિણ કચ્છ ના મેળાઆોમા શિતલા માતાનો મેળો , રુકાનપીરનો મેળો માણવા લાયક છે. ઘણા અન્ય માણવા લાયક મેળાઓ પણ છે. પરંતુ, આમાંથી અમુક મેળાઓ કોરોનાના કારણે યોજી શકાયા નાથી તો કેટલાક મેળાઓ આગામી દિવસોમાં રદ થાય તેવી શકયતા પણ છે.