Get The App

ગાંધીધામમાં રોડના ચક્કાજામ અને રજૂઆત બાદ પોલીસે ફરિયાદ નોંધી

- ધાર્મિક લાગણી દુભાવનાર ઇસમ વિરૃધ્ધ એસ.પી. કચેરીએ રજૂઆત કરાયા બાદ ફરિયાદ નોંધાઇ

Updated: Feb 1st, 2024

GS TEAM

Google News
Google News
ગાંધીધામમાં રોડના ચક્કાજામ અને રજૂઆત બાદ પોલીસે ફરિયાદ નોંધી 1 - image

ગાંધીધામ, તા. ૩૧

સોશિયલ મીડિયામાં મહેશ્વરી સમાજના ઇસ્ટદેવ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી ધામક લાગણી દુભાવવામાં આવી હતી. જે બાબતે ગાંધીધામ ખાતે મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા ફરિયાદ નોંધવા રજુઆત કરવામાં આવી હોવા છતાં ફરિયાદ નોંધવામાં આવી ન હતી અને આરોપીને પકડવામાં પણ આવ્યો ન હતો. જેાથી સમાજના યુવાનોએ ગુસ્સે ભરાઈ ટાગોર રોડ પર ચક્કાજામ કરી નાખ્યો અને બાદમાં રાત્રે એસ.પી. કેચેરીએ જઇ ઉગ્ર રજુઆત કરી હતી. જેના બીજા બીજા જ દિવસે ધામક લાગણી દુભાવનાર ઈસમ વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી.

ગાંધીધામના જૂનીસુંદર પુરી વિસ્તારમાં રહેતા રમેશ કાનજી થારુએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા ઈસમે મહેશ્વરી સમાજના ઇસ્ટદેવ શ્રી મતિયાદેવ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેમાં સમગ્ર ગાંધીધામમાં મહેશ્વરી સમાજના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેાથી સમાજના યુવાનોએ ગાંધીધામમાં ધમાધમતા ટાગોર રોડ પર ચક્કાજામ કરી પોતાનું વિરોધ દર્શાવ્યો હતો. જેના કારણે વાહનનોની અવરપજવર ઠપ્પ થઇ ગઈ હતી અને લાબું ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં પૂર્વ કચ્છ પોલીસે આવીને યુવાનો સાથે વાત કરીને ટાગોર રોડ પર રસ્તો ખુલ્લો કર્યો હતો. જે બાદ પણ ફરિયાદ ન નોંધાતા મંગળવારે રાત્રે સમાજના યુવાનો એસપી કચેરીએ પહોંચી ગયા હતા જ્યાં ઉગ્ર રજુઆત કરવામાં આવતા બીજા જ દિવસે એટલે કે બુાધવારે જ અભદ્ર ટિપ્પણી કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ માથકે ફરિયાદ નોંધાઈ હતી.

Tags :