Get The App

માત્ર કચ્છમાં જ જોવા મળતાં ૭ હજાર વર્ષ પુરાણા અવશેષો 'મેનહીર'ની ઘોર ઉપેક્ષા

- પાષાણ યુગના મેનહીર બૌદ્ધ સ્તુપોના પણ પૂર્વજ ગણાય છે

- જમીનમાં દાટેલી મત્તા ખોદી કાઢવાની લાલચમાં અસામાજિક તત્વો દ્વારા માંડવી પાસેના ઐતિહાસિક વારસા સાથે ખૂલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે

Updated: Jan 3rd, 2019

GS TEAM


Google News
Google News
માત્ર કચ્છમાં જ જોવા મળતાં ૭ હજાર વર્ષ પુરાણા અવશેષો 'મેનહીર'ની ઘોર ઉપેક્ષા 1 - image

માંડવી, બુધવાર

કચ્છની ધરતીમાંથી મળી આવતા અવશેષો અહી કરોડો વર્ષ જૂનો ઈતિહાસ ધરબાયેલો હોવાની સાક્ષી પુરી રહ્યા છે. માંડવી નજીક આવેલા  કંઈક આવા જ પાંચ-સાત હજાર વર્ષાથી વધુ પુરાતન પાષાણ યુગના અવશેષો હાલ ધૂળમાં મળી રહ્યા છે. આખા ગુજરાતમાં ફક્ત કચ્છમાં જ જોવા મળતા અને સ્તુપોના પણ પૂર્વજ ગણાતા એવા મેનહીર ધણી ધોરી વગરની હાલતમાં રઝળે છે. બીજી તરફ માન્યતાઓ અનુસાર જમીનમાં દાટેલી મત્તા ખોદી કાઢવાની લાલચમાં અસામાજિક તત્વો દ્વારા આ ભવ્ય ઐતિહાસિક વારસા સાથે ખૂલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગો દ્વારા કચ્છના પેટાળમાં ધરબાયેલી ભાવિ પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ પુરાતત્વીય વિરાસતની ઘોર ઉપેક્ષા થતી હોય તેમ માંડવી નજીક આવેલા પાષાણ યુગના અવશેષો તદ્દન અસલામત હાલતમાં છે. માંડવીમાં રાજડાથી રતાડિયા જતા માર્ગ પર ગાંધીગ્રામ નામના ગામ પાસે નદીના કોતરો પુરા થતાં જ જમીનમાં દટાયેલું પાષાણ યુગનું એક સૃથાન છે. વર્ષ ૧૯૯૧માં માંડવીના ડો.પુલિન વસાએ આ સૃથળ શોધીને તેનું મહત્વ નક્કી કર્યું હતું. અહી આસપાસના વિસ્તારમાં પાષાણયુગનો સમૃદ્ધ વારસો અસુરક્ષિત હાલતમાં છે.

પૂર્વ દિશામાં ખૂલતી ગોળાકાર અને ટેબલ આકારની કબરો અહી છે. આ જમીનમાંથી પાષાણ યુગના ઓઝારો અને પત્રીઓ મળ્યા છે. મેનહીર તરીકે ઓળખાતા અને સ્તુપના પૂર્વજ ગણાતા એવા મોટા ત્રણ પથૃથરો અહી આવેલા છે. અનિષ્ટ તત્વોએ જમીનમાં દાટેલું ધન શોધવાની લાલચમાં કેટલીક કબરો અને બે મેનહીરને ખોદી નાંખ્યા છે. એક મેનહીરને ફરી વખત ખાડામાં ગોઠવી દેવાયો છે. આખા ગુજરાતમાં કદાચ આવા મેનહીર ક્યાંય જોવા મળતા નાથી. ભારતમાં પણ બે-ચાર સૃથળોએ જ મેનહીર હોવાનું નોંધાયું છે. યોગ્ય સુરક્ષાના અભાવે સામાન્ય કારણોસર બહુમૂલ્ય પ્રાચીન વારસો નષ્ટ થઈ રહ્યો છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની પુરાતત્વ વિભાગની ટીમે ભૂતકાળમાં અહીની મુલાકાત લઈ નિરિક્ષણ કરી આ સૃથળને મહત્વપૂર્ણ પુરાતત્વીય સાઈટ ગણાવી હતી. ઘર આંગણે તિરાથનું મૂલ્ય ન હોય, તે કહેવત અનુસાર વિશ્વના વૈજ્ઞાનિકો માટે સંશોધનનો મુદ્દો બનવાની ક્ષમતા ધરાવતી આ સાઈટ પ્રત્યે સૃથાનિક લોકોમાં પણ જાગૃતિનો અભાવ છે. આ ઐતિહાસિક વારસો સચવાઈ રહે તેવી કોઈ સુરક્ષા વ્યવસૃથા આજ સુાધીમાં ગોઠવવામાં આવી નાથી. આ વારસાની કાળજી નહીં લેવાય તો આગામી એકાદ-બે દસકામાં સંપૂર્ણ નામશેષ થઈ જશે.

'મેનહીર' એટલે શું?

સામાન્ય લોકો માટે 'મેનહીર' શબ્દ ઓછો જાણીતો અને વિચિત્ર છે. પરંતુ તસવીરમાં જોતા જ લોકોને તેના વિશેનો ખ્યાલ આવી શકે છે. પ્રાગઐતિહાસિક યુગમાં સ્મારકરૃપે ઉભા કરવામાં આવેલા અખંડ પથૃથરના સ્તંભને મેનહીર કહેવામાં આવે છે. આજે શહિદોની યાદમાં ઉભા કરવામાં આવતા ઉંચા સ્તંભ જેવા સ્મારક કે પછી ગુજરાતમાં બહુ જાણીતા પાળિયાને મેનહીર સાથે સરખાવી શકાય. અલબત આખો મેનહીર એક જ પથૃથરનો બનેલો હોય છે. તાથા તેમાં પાળિયાની માફક કોઈ લખાણ કે ચિત્રો હોતા નાથી. કચ્છમાં માંડવી નજીક જોવા મળતા મેનહીર આઠાથી દસ ફૂટની ઉંચાઈ અને બેાથી અઢી ફૂટની જાડાઈના છે.

અહી મેનહીર જોવા મળે છે

માંડવીથી રપ કિ.મી. દુર ગાંધીગ્રામની પશ્ચિમ દિશામાં ટીંબા પર મધ્યમાં દસ ફૂટ ઉંચો, અઢી ફૂટ પહોળો અને સવા ફૂટ જાડો વિશાળ મેનહીર છે. તેની પૂર્વ દિશાએ સહેજ નાના આઠેક ફૂટના બે મેનહીર છે. તેના પર એક ઠેકાણે ત્રિશુલ જેવો આકાર કોતરવામાં આવ્યો છે. નદીની કોતરોમાં પણ મેનહીર જેવી દસ-વીસ ફૂટની મહાકાય શિલાઓ પાણીના પ્રવાહ સાથે તણાઈને પડી ગઈ હોય તેવી રીતે પડેલી છે. અહીથી પૂર્વ દિશામાં રાજડા ગામ મુકતા દસ ફૂટ ઉંચાઈનો બીજો મેનહીર નજરે પડે છે. ડોણ ગામના સીમાડે રસ્તાની દક્ષિણે ત્રણ મેનહીર જોવા મળે છે. જેમાંથી એક ઉભો છે અને બે પડી ગયા છે. અહીથી દસ કિ.મી. દૂર ગોણીયાસર ગામે દસ ફૂટનો વધુ એક મેનહીર છે.

Tags :