ગુજરાતમાં ફક્ત વાગડ-વિરમગામ પંથકમાં પ૦ હજાર એકરમાં થતી દેશી કપાસની ખેતી!
- દેશમાં બહુ ઓછા સ્થળોએ હવે દેશી કપાસની ખેતી ટકી શકી છે
- ખેડૂતો પર દોઢેક દસકાથી હાવી થઈ ગયેલી બીટી ટેકનોલોજીના પ્રભાવ વચ્ચે કપાસની જૂનવાણી જાતોનું જતન કરતા ધરતીપુત્રો
અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં ખેતીની ખરીફ સિઝનનો મુખ્ય પાક કપાસમાં અવનવા સંશોધનો થતા હોય છે. ખાસ કરીને બીટી ટેકનોલોજી હાલ ખેડૂતો પર હાવી ગઈ છે. તેના સિવાય કપાસનું વાવેતર કરવાનું કોઈ વિચારી શકે તેમ નાથી. તેવી સિૃથતિ વચ્ચે કચ્છના વાગડ અને અમદાવાદના વિરમગામ પંથકમાં આજે પણ પ૦ હજાર એકરાથી વધુ વિશાળ જમીનમાં દેશી કપાસની ખેતી થઈ રહી છે! બાધી સિૃથતિાથી વાકેફ હોવાછતા ખેડૂતો દેશી કપાસને છોડવા તૈયાર નાથી. ખેરખર આ વિસ્તારની ખેતીવાડી પછાત અવસૃથામાં છે કે પછી તેના માટે અન્ય કોઈ બાબત કારણભૂત છે? તેવો સવાલ કુતુહલ સર્જી રહ્યો છે.
ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી વધુ સરેરાશ ર૬ લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર થાય છે. વર્ષ ર૦૦૧માં સીંગલ બીટી ટેકનોલોજી આવી ત્યાં સુધી બધા જ કપાસની દેશી જાતોનું વાવેતર કરતા હતા. આજના યુવા ખેડૂતોને કદાચ આ વાતનો ખ્યાલ નહીં હોય, કારણ કે ત્યાર બાદ ર૦૦પમાં ડબલ બીટી ટેકનોલોજી આવતા કપાસની ખેતીનું આખુ ચિત્ર જ બદલાઈ ગયું છે. આજે સ્થિતિ એવી પેદા થઈ છે કે, ડબલ બીટી ટેકનોલોજી પણ અસરકારક રહી નથી. છેલ્લા ત્રણેક વર્ષથી કપાસમાં આવતી ઈયળો તેની સાબિતિ છે. પરંતુ હવે ખેડૂતોને કપાસના પાકમાં બીટી સિવાય કંઈ સુઝતું નથી.
બીટીના ગ્રહણ સામે પણ અહી દેશી કપાસ ટકી રહ્યો!
તેવી સ્થિતિ વચ્ચે કચ્છના વાગડ અને ઝાલાવાડ તથા અમદાવાદના વિરમગામ પંથકમાં આજે પણ વ્યાપકપણે થતી જૂનવાણી દેશી કપાસની ખેતી સિમાચિન્હરૃપ બની રહી છે. બીટીના સૌથી મોટા ગ્રહણ વચ્ચે દેશી કપાસ ટકી રહ્યો છે. કચ્છના રાપર, ભચાઉ તાલુકા તેમજ બન્નીના કેટલાક વિસ્તારમાં આજે પણ ર૦ હજાર એકરથી વધુ વિસ્તારમાં દેશી કપાસનું વાવેતર થાય છે. કૃષિના તજજ્ઞાોના જણાવ્યા અનુસાર પટેલ ચોવીસી, આહિર પટ્ટી વગેરે વિસ્તારના ગામડામાં લોકો દેશી કપાસનું વાવેતર કરે છે. આવી રીતે જ તેના પાડોશી ઝાલાવાડ તથા વિરમગામ પંથકમાં પણ દેશી કપાસનું મોટાપાયે વાવેતર થાય છે. અહી આશરે રપથી ૩૦ હજાર એકરમાં દેશી કપાસ વવાય છે. અલબત, સરકારી ચોપડે દેશી કપાસના વાવેતરના અલગ આંકડા નોંધાતા નથી. માટે ચોક્કસ વાવેતર વિસ્તાર નક્કી કરવો મૂશ્કેલ છે. પરંતુ બિયારણ વિક્રેતા સુત્રોના વેચાણના આંકડાને ધ્યાને લેતા નજીકના અંદાઝ અનુસાર આ બન્ને વિસ્તારમાં કુલ મળીને પ૦ હજારથી વધારે એકરમાં દેશી કપાસ વવાય છે.
શા માટે દેશી કપાસનું વાવેતર થાય છે?
આખા રાજ્યમાં એક માત્ર વાગડ અને ઝાલાવાડ પંથકમાં ખેડૂતો દેશી કપાસની ખેતી શા માટે કરે છે? આ સૌથી મહત્વના પ્રશ્નનો જવાબ આપતા કૃષિ નિષ્ણાંતો કહે છે કે, દેશી કપાસ ઓછા પાણીમાં વગર માવજતે થઈ જાય છે. જ્યારે બીટીની માવજત લેવામાં જરા અમથી ચૂક થાય તો આખો પાક નિષ્ફળ જવાની ભીતિ હોય છે. કચ્છના રણ આસપાસની જમીનમાં ખારાશનું પ્રમાણ વધારે છે. આવી જમીનમાં દેશી કપાસ સરળતાથી થઈ શકે છે. બીટીના વાવેતર માટે મીઠી જમીન અને પુરતું પાણી જોઈએ છે. આ બન્ને ન મળે તો બીટી કપાસનો પાક નિષ્ફળ જાય છે. બીટી કપાસને વાવેતરમાં પાંચથી બાર વધારાના પિયત આપવા પડે છે, જ્યારે દેશી કપાસને ચોમાસામાં વરસાદનું પાણી મળ્યા બાદ ખાસ પિયત આપવાની જરૃર પડતી નથી. કદાચ પિયત થાય તો ઠીક છે, બાકી કપાસનો પાક તો આવે જ છે. પાણી કે વાતાવરણના કારણે બીટીની માફક દેશી કપાસની ગુણવત્તા ઉપર અસર પડતી નથી.
ગાદલા કે ગોદડા જેવી વસ્તુઓ બનાવવા થતો ઉપયોગ
દેશી કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ ઉત્પાદનની બાબતમાં સંતોષ રાખવો પડે છે. કારણ કે દેશી કપાસનું ઉત્પાદન વિઘે માંડ પાંચથી દસ મણ સુધીનું રહે છે. જ્યારે બીટી કપાસનું ઉત્પાદન ર૦થી ૪૦ મણ સુધી થાય છે. દેશી કપાસના વેંચાણ માટે ખેડૂતોને સ્થાનિક કક્ષાએ માર્કેટ પણ મળી રહે છે. ઘર-ઘરાઉ ગાદલા કે ગોદડા જેવી વસ્તુઓ બનાવવા માટે દેશી કપાસનો ઉપયોગ થાય છે. માટે ખેડૂતોને બજારની ચિંતા રહેતી નથી. પરિણામે આજે પણ દેશી કપાસની જાતો આ બન્ને વિસ્તારના ધરતીપુત્રોએ ટકાવી રાખી છે.
દેશમાં ક્યાંય દેશી કપાસનું વાવેતર થતું નથી
ભારતમાં કપાસનું ઉત્પાદન ઘણા રાજ્યોમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, એમ.પી., રાજસ્થાન સહિતના રાજ્યોમાં કપાસનું વ્યાપક વાવેતર થાય છે. જૂનાગઢ કૃષિ યુનિ.ના કપાસ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો.એલ.કે.ધડૂકના જણાવ્યા મુજબ કચ્છના વાગડ અને વિરમગામ વિસ્તાર સિવાય ખાસ ક્યાંય દેશી કપાસ વવાતો નથી. થોડા સમય પહેલા મોરબી અને માણાવદર પંથકમાં દેશી કપાસનું વાવેતર થતું હતું. હવે તે બંધ થઈ ગયું છે. દેશમાં કર્ણાટકના ધારવાડ સિવાયના કોઈ વિસ્તારમાં ક્યાંય પણ વ્યાપકપણે દેશી કપાસનું વાવેતર થતું નથી.
બીટી ટેકનોલોજી શું છે?
કપાસના પાકને નવી ઉંચાઈએ લઈ જનાર બીટી ટેકનોલોજીનું નામ તો બાધાએ સાંભળ્યું હશે, ખેડૂતો તો સેંકડો વખત તેનું નામ લેતા હશે. પરંતુ હકીકતમાં આ ટેકનોલોજી શું છે? તેના પર નજર કરીએ તો કપાસમાં આવતી લશ્કરી અને ગુલાબી ઈયળોના નિયંત્રણનું કામ આ ટેકનોલોજી કરતી હતી. મતલબ કે બીટી બિયારણનું વાવેતર કરવામાં આવે તો કપાસના પાકમાં આવી ઈયળો આવતી નહોતી. જો કે ત્રણેક વર્ષાથી હવે આવું રહ્યું નાથી. બીટીનું વાવેતર કરવા છતાં આ ત્રણેય પ્રકારની ઈયળો કપાસમાં આવવા માંડી છે.
પાણીની અછતવાળા વિસ્તારમાં દેશી કપાસ વધુ વવાય છે
કચ્છના મદદનીશ ખેતી નિયામક જોષી આ મામલે કહે છે કે, દેશી કપાસના વાવેતર બાદ ખેડૂતોએ બહુ મહેનત કરવી પડતી નાથી. ખાસ કરીને જ્યાં પાણીની અછત હોય તેવા વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. વાવેતર કર્યા બાદ રોગ-જીવાત માટેની દવાના છંટકાવનો ખર્ચ થતો નાથી. એકંદરે ઓછા પાણી, મહેનત અને ખર્ચમાં દેશી કપાસ પાકી જતો હોવાથી અમુક ખેડૂતો તેના પર પસંદગી ઉતારે છે. જો કે આવો ખેડૂતવર્ગ ખુબ સિમિત છે.
કપાસના વાવેતરનું ચિત્ર
૨૬.૦૨ લાખ હેક્ટર
ગુજરાતનું સરેરાશ વાવેતર
૨૭.૧૨ લાખ હેક્ટર
ગુજરાતનું ચાલું વર્ષનું વાવેતર
૨૬,૩૦૦ હેક્ટર
કચ્છમાં કપાસનું કુલ વાવેતર
૮ થી ૯ હજાર હેક્ટર
કચ્છમાં દેશી જાતોનું વાવેતર
૩.૪૭લાખ હેક્ટર
સુરેન્દ્રનગરમાં કપાસનું કુલ વાવેતર
૧૧થી ૧૨ હજાર હેક્ટર