માત્ર પાંચ જ માસ ચાલેલી માંડવી-ઓખા ફેરી સર્વિસ દોઢ વર્ષથી બંધ
- કચ્છમાં વિકાસના દાવાઓને પોકળ સાબિત કરતી હકીકત
- કરોડો રૃપિયાના ખર્ચ પછી પણ ઘોઘા-દહેજ રોરો ફેરી સેવા નિષ્ફળ રહી છે જ્યારે અહી લોકપ્રિય બનેલી ફેરીને ટકાવી રાખવામાં સરકારને રસ નથી!
અમદાવાદ, રવિવાર
આજ સુાધી શૈક્ષણિક અને સામાજિક રીતે જેની પછાત વિસ્તારમાં ગણના થાય છે તેવા કચ્છમાં વિકાસના દાવાઓને પોકળ સાબિત કરતી એક હકીકત અનુસાર માંડવી-ઓખા વચ્ચેની ફેરી સર્વિસનો પાંચ જ માસમાં મૃત્યુઘંટ વાગી ગયા બાદ દોઢ વર્ષાથી બંધ હાલતમાં છે. આશ્ચર્યની બાબત એ છે કે, કરોડો રૃપિયાના ખર્ચ પછી પણ ઘોઘા-દહેજ ફેરી સેવા નિષ્ફળ રહી છે. તેની સામે અહી કોઈ ખર્ચ વગર મફતમાં લોકપ્રિય બનેલી ફેરી સેવા ચાલું રાખવામાં જાણે કે સરકારને રસ ન હોય તેવું વલણ દાખવાઈ રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં સૌથી મોટો દરિયાકિનારો ધરાવતા કચ્છના માંડવીથી ઓખા સુાધી વર્ષ ર૦૧૬માં ફેરી સર્વિસ શરૃ કરવામાં આવી હતી. હાલ આઠેક માસાથી બંધ પડેલી આ સેવા ફરી વખત શરૃ કરવાના કોઈ પ્રયાસો કચ્છ કે સૌરાષ્ટ્રની નેતાગીરી દ્વારા કરવામાં આવ્યા નાથી. શરૃઆતના દસેક દિવસોમાં આ ફેરી સર્વિસમાં રપ ટ્રીપ દ્વારા રપ૦૦ લોકોનું પરિવહન કરાયું હતું. પરંતુ ટેકનિકલ કારણોસર ૧૦ દિવસમાં બંધ પડેલી આ સેવા ડિસેમ્બર ર૦૧૬માં ફરી શરૃ કરાઈ હતી. ત્યારાથી મે ર૦૧૭ સુાધીના આશરે પાંચ માસમાં ર૮૬ ટ્રીપમાં ૧ર,પ૦૦ જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું. આટલી બાધી લોકપ્રિય બનેલી આ ફેરી સર્વિસ હાલ સરકારના ઉદાસીન વલણના કારણે બંધ પડી ગઈ છે. ફેરી સેવાને પ્રોત્સાહન આપવાની વાત તો દુર રહી તેને ટકાવી રાખવા માટે પણ સરકારનો સહકાર મળતો નહોતો.
મળતી વિગતો અનુસાર માંડવી બંદરે પાણીનું સ્તર ઓછુ પડતું હોવાથી આ ફેરી બંધ કરવાની નોબત આવી હતી. જો કે માંડવી બંદરના વિકાસનો પ્રોજેક્ટ દોઢ વર્ષાથી પાસ થયેલો છે. પણ સરકાર તેની કામગીરી હાથ ધરતી નાથી. અહી ફેરી માટે જરૃરી દોઢ-બે મીટર જેટલી પાણીની ઉંડાઈ પણ મળતી ન હોવાથી ફેરી સેવા ચાલું રાખવી શક્ય નાથી.