Get The App

માઈભક્તો માટે આશાપુરા માતાજીના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ

- માતાનામઢ મંદિરના પ્રવેશદ્વાર 10 દિવસ માટે બંધ

- છેલ્લા એકાદ સપ્તાહમાં અડધા લાખથી પણ વધુ ભાવિકોએ દર્શન કર્યા

Updated: Oct 14th, 2020

GS TEAM


Google News
Google News
માઈભક્તો માટે આશાપુરા માતાજીના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ 1 - image


 ભુજ, તા. 13 ઓક્ટોબર 2020, મંગળવાર

કોરોનાના લીધે ઈતિહાસમાં પ્રથમ વખત માતાનામઢ મુકામે આશાપુરા માતાજીનો મંદિર બંધ રહેશે. આજથી દસ દિવસ માટે મંદિરના પ્રવેશદ્વાર બંધ કરવામાં આવ્યા છે. જો કે, માઈભકતો માતાજીના દર્શન કરી શકે તે માટે યુટયુબ અને વોટ્સએપના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી શકશે. તેમજ ધાર્મિક વિધિ વિધાન નિહાળી શકશે.

દર વર્ષે આસો નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ભકતો માતાજીના દર્શન કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળમાં નવરાત્રિમાં દર્શન માટે ભકતો માતાજીના રૂબરૂ દર્શન કરી શકશે નહિં. એટલે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજથી દસ દિવસ માટે માતાજીના રૂબરૂ દર્શન કરી શકાશે નહિં. જયારે ૨૬મીથી રાબેતા મુજબ માતાજીના દર્શન કરી શકાશે. નવરાત્રિમાં રોજના પાંચેક લાખની આસપાસ ભાવિકો દર્શન કરતા હોય છે. કચ્છ-સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રિઓ પગપાળા ચાલીને આવતા હોય છે જો કે, આ વખતે કોરોનાને લઈને પદયાત્રિકો પણ આવી શકયા નથી. તેમ છતા છેલ્લા એકાદ સપ્તાહમાં જ એકાદ લાખથી પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા છે.

૧૭ મીથી નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે નવરાત્રિમાં માઈભકતો માટે મંદિરમાં પ્રવેશ મળશે નહિં પરંતુ વોટસએપ અને યુટયુબ પર દર્શન કરી શકાશે. સરકારના જાહેરનામાની અમલવારીને ધ્યાને રાખીને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થતો હોઈ પ્રથમ નોરતે માતાનામઢે આશાપુરા માતાજીના મંદિરે ઘટ સ્થાપન કરાશે.


સ્થાપનાથી આજ સુધી ચાલી આવતી નવરાત્રિની સફાઈની પરંપરા

ભુજના આશાપુરા મંદિરે સોના-ચાંદીના અભુષણો ઝળહળી ઉઠયા

મુર્તિઓના શણગાર, સિંહાસન, છત્તર, દરવાજાની સફાઈ કામ દ્વારા સોની વેપારીઓ અને કારીગરોએ સેવા કરી

આસો નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભુજના આશાપુરા મંદિરે દરવર્ષની પરંપરા અનુસાર સોના-ચાંદીના ધંધાર્થીઓ, કારીગરોએ મંદિર-નિજ મંદિર, મુર્તિઓના શણગાર, દરવાજા, વાસણ વગેરેની સફાઈ કરી હતી. તેમજ આરતી ગુ્રપના કાર્યકરો દ્વારા શીખરની લઈને દિવાલો તેમજ પરિસરની સાફ સફાઈ કરી સેવા આપી રહ્યા છે. 

આશાપુરા મંદિરની સ્થાપના થઈ ત્યારથી લઈને આજદિન સુધી નવરાત્રી શરૂ થાય તેના પહેલનાના રવિવારે સોના-ચાંદીના ધંધાર્થીઓ, કારીગરો દ્વારા સેવા આપવામાં આવે છે. સેવા કરવાની પરંપરા પેઢી દર પેઢીથી ચાલી આવે છે. તેને યુવા પેઢીએ પણ જાળવી રાખી હોવાનું જણાવાયું હતું. કોરોના કાળથી સફાઈ, સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઈઝરના નિયમોનું પાલન કરીને કરવામાં આવી હતી. માતાજીના સોના-ચાંદીમાંથી તૈયાર કરવામાં આવેલા સિંહાસન, છત્તર, મયુરાસન, દરવાજા, ભોગપાઠ, મેળાપ સહિતને આમલી, અરીઠા તથા દરિયાઈ રેતીથી સાફ-સફાઈ કરીને ઝગમગતા કરી સેવા આપવામાં આવી હતી. 

Tags :